Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

'મારા મિત્ર પાસે જાવ છું,' કહી નીકળ્યા બાદ સુરતનો આશીષ રાજકોટમાંથી ભેદી રીતે ગુમ

યુવાન મિત્ર સાથે ધંધાના કામે રાજકોટ આવ્યો'તો

રાજકોટ, તા. ૧૧ :. કરણસિંહજી મેઈન રોડ પર આવેલ હોટલ યશ પેલેસમાં આવેલ સુરતનો યુવાન 'મિત્ર પાસે જાવ છું' તેમ કહી નીકળ્યા બાદ પરત ન આવતા એ-ડિવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ થઈ છે.

મળતી વિગત મુજબ સુરત અમરોલીના સાયણ રોડ પર ગોપીનાથજી રેસીડેન્સી ઈ-૩૦૪માં રહેતો અને સોની કામ કરતો આશીષ કાનજીભાઈ રાછીયા (ઉ.વ. ૨૯) ગત તા. ૨૬ના રોજ મિત્ર ભાવેશભાઈ અરજણભાઈ નભોયા (ઉ.વ. ૩૭) સાથે ધંધાના કામ સબબ રાજકોટ આવ્યા હતા અને કરણસિંહજી મેઈન રોડ પર હોટલ યશ પેલેસમાં રોકાયા હતા. ગત તા. ૨૮ના રોજ રાત્રે આશીષ પોતાના મિત્ર પાસે જવાનુ કહીને નિકળ્યો હતો. બાદ તે સવાર સુધી પરત ન આવતા મિત્ર ભાવેશભાઈએ તેને ફોન કરતા તેનો ફોન સ્વીચઓફ આવતો હોય તેથી તેણે હેતલની આસપાસ અને તેના સગાસંબંધીનો સંપર્ક કરી તપાસ કરી હતી પરંતુ તેનો કોઈ પત્તો ન લાગતા મિત્ર ભાવેશભાઈ નભોયાએ એ-ડિવીઝન પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવતા એએસઆઈ ભરતસિંહ ગોહીલે તપાસ આદરી છે. આશીષ શ્યામવર્ણનો છે. તેણે એમ. ફાર્મ સુધી અભ્યાસ કરેલ છે અને પરણીત છે. તેણે ગ્રીન કલરનો શર્ટ, બ્લેક જેકેટ છે. જો કોઈને આ યુવાન જોવા મળે તો એ-ડિવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦૨૮૧-૨૨૨૬૬૫૯ તેમજ મોબાઈલ નંબર ૮૧૬૦૪ ૬૪૧૭૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:32 pm IST)