Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

અભિમાનનાં નશામાં ચુર ભા.જ.પ.ને જનતાનો પાવર બતાવવો જરૂરી : અશોક ડાંગર

વોર્ડ નં. -૧૭માં ચૂંટણીનાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન : કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા સંકલ્પ

રાજકોટ,તા. ૧૧:  મહા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં રાજકોટ શહેરના વોર્ડ નં.૧૭માં ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વોર્ડ નં. ૧૭ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી અશોકભાઈ ડાંગર, શ્રી દ્યનશ્યામસિંહ જાડેજા, શ્રી જયાબેન જયંતીલાલ ટાંક, શ્રીવસંતબેન મીતેશભાઇ પીપળીયાના ચુંટણી મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે વોર્ડ નં.૧૭માં રહેતા તમામ સમાજના આગેવાનો અને સ્થાનિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આ સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં વોર્ડ નં.૧૭માં કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીત અપાવવા તેમજ મનપાની ગાદી પર પરિવર્તનની મહોર લગાવવા લોકોઈ નેમ લીધી હતી.

આ તકે અશોકભાઈ ડાંગરે ઉધ્બોધનમાં જણાવ્યું હતું કે ભાજપની આગેવાની વાળી સરકારે પ્રજાને ત્રાહિમામ કરવામાં કોઈ કસર છોડી નથી. કોરોના મહામારી દરમ્યાન જયારે મધ્યમ વર્ગની કમ્મર આર્થિક રીતે તૂટી ગઈ હતી તેવા સમયે ભાજપ સરકારે ઈ-મેમો સ્વરૂપે કમ્મર તોડ માસ્કના દંડ અને ટ્રાફિક દંડ આડેદ્યડ ફટકારી પ્રજાને લુંટીલેવા સિવાય કશું કર્યું નથી ત્યારે હવે અભિમાનમાં ચુર થયેલી ભાજપને જનતાના પાવરથી વાકેફ કરાવવાનો સમય આવી ગયો છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત નાથાભાઈ કિયાડા, દાસભાઈ પટેલ, દેવદાનભાઈ જારીયા, રતિભાઈ ખૂંગલા, વોર્ડ પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી, અનિરુદ્ઘભાઈ કાકડિયા, કૈલાશભાઈ કાકડિયા, ભુપતસિંહ ઝાલા, શૈલેશભાઈ રૂપાપરા, ભાર્ગવભાઈ પઢીયાર, પ્રહલાદસિંહ ઝાલા, કાનાભાઈ ડાભી, પ્રતાપસિંહ ઝાલા, વિમલભાઈ મુંગરા, સહિતના આગેવાનો કાર્યકરો-આગેવાનો, અને સ્થાનિક લોકો તેમજ તમામ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:22 pm IST)