Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

મ.ન.પા.એ જમીનો વેચવા કાઢી : ૬ પ્લોટની થશે ઓનલાઇન હરરાજી

નાનામૌવા ચોક, અયોધ્યા ચોક, સાધુ વાસવાણી - રૈયા રોડ કોર્નર, સોમનાથ સોસાયટી અને કિડવાઇનગરના ખુલ્લા પ્લોટોનું થશે 'ઇ-ઓકશન' : સમગ્ર દેશમાંથી ખરીદદારો તથા જમીનના ઉંચા ભાવો મળવાની આશા

રાજકોટ તા. ૧૨ : મહાનગર પાલીકા દ્વારા છેલ્લા ઘણા વર્ષો પછી જમીનોની હરરાજીથી વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે એટલુ જ નહી આ વખતે પરંપરાગત ઢબે જમીનનાં સ્થળ પર બેસીને હરરાજી કરવાને બદલે ઓન લાઇન હરરાજી એટલે કે 'ઇ-ઓકશન' કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ૬ પ્લોટની હરરાજી નક્કી થઇ ગઇ છે.

આ અંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની ટી.પી. સ્કીમોમાં કોમર્શીયલ વેચાણ હેતુનાં મ.ન.પા.ની માલીકાના ખુલ્લા પ્લોટોનું જાહેર હરરાજીથી વેચાણ થશે.

કેમ કે આવા પ્લોટો વધુ સમય સુધી ખુલ્લા રહેવાથી તેમા ગેરકાયદે દબાણો થઇ જાય છે. આથી બને તેટલુ વહેલુ આ જમીનોનું વેચાણ કરવું જરૂરી છે. આથી દિવાળી પછી હરરાજી કરવામાં આવશે.

કમિશ્નરશ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે આ વખતે મ.ન.પા.ના કોરોના કાળને કારણે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જમીનોની હરરાજી ઓન લાઇન એટલે કે ઇ-ઓકશન પધ્ધતીથી થશે.

આ માટે જી.એન.એફ.સી.નાં માધ્યમથી શહેરમાં આવેલા ખુલ્લા પ્લોટોની ઓનલાઇન હરરાજીની ગોઠવણી થઇ રહી છે.

શ્રી અગ્રવાલે જણાવયુ઼ં હતુ કે શહેરના ન્યુુ. રાજકોટમાં કંપની જમીનના પ્લોટો હરરાજીમાં મુકવામાં આવશે.

આ માટે જમીનની પ્રતિ ચો.મી.ની અપસેટ કિંમત નક્કી કરી તેના ઉપર હરરાજી શરૂ કરાશે. જેમાં ઓછામાં ઓછા પ્રતિ ચો.મી.એ ૧૦૦૦થી વધુ બોલી લગાવીને હરરાજી પડશે. ૩ મીનીટ સુધી આ વધુ બોલી માન્ય રહેશે. એ દરમિયાન જો કોઇ તેમાંથી વધુ બોલી લગાવશે તો સમય આગળ વધશે આ પ્રમાણે આખો દિવસ સુધી પણ હરરાજી ચાલી શકશે. એટલું જ નહી ઓન લાઇન હરરાજી હોવાથી સમગ્ર દેશમાંથી જમીનના ગ્રાહકો આ હરરાજીમાં ભાગ લઇ શકશે જેમાં કારણે હરીફાઇ વધશે અને તંત્રને જમીનની વધુ કિંમત પણ મળશે. સાથોસાથ પારદર્શીતા રહેશે. કેમ કે આ હરરાજીમાં ખરીદ નારાઓની સિન્ડીકેટ થવી લગભગ અશકય છે.

આમ હવે મ.ન.પા. દ્વારા વર્ષો પછી જમીનોની હરરાજી થનાર હોઇ તંત્રને કરોડોની આવક થશે તેવી આશા મ્યુ. કમિશ્નરશ્રીએ વ્યકત કરી હતી.

દરમિયાન હરરાજીના જે પ્લોટ નક્કી થયા છે. તેમાં નાનામૌવા રોડ, અયોધ્યા ચોક, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ કોર્નર, સોમનાથ સોસાયટી, કીડવાઇનગર વગેરે વિસ્તારમાં આવેલા ૬૬૮ ચો.મી.થી લઇને ૯૪૩૮ ચો.મી. સુધીના કુલ ૬ પ્લોટની હરરાજી થશે.

(4:27 pm IST)