Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

ટપાલ સેવાને લગતી સમસ્‍યાના નિવારણ અર્થે ડાક અદાલત : પ્રશ્નો મોકલી આપો

રાજકોટ તા. ૧૨ : ભારતીય ટપાલ વિભાગ ડાક સેવાઓને લગતી નાગરિકોની સમસ્‍યાઓ અને ફરિયાદોના નિરાકરણના હેતુથી ડાક અદાલતનું આયોજન તા. ૨૩ના સવારે ૧૧ કલાકે પોસ્‍ટ માસ્‍તર જનરલ, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ ક્ષેત્ર, ત્રીજો માળ, હેડ પોસ્‍ટ ઓફિસ રાજકોટની ઓફિસમાં રાખવામાં આવેલ છે.

આ ડાક અદાલત દ્વારા લોકોની ફરિયાદોનો વ્‍યાજબી રીતે નિકાલ કરવાનો ઉદ્દેશ છે અને આ માટે પોસ્‍ટમાસ્‍તર જનરલ દરેક ફરિયાદને વ્‍યકિતગત રીતે સાંભળશે તથા ફરિયાદના વ્‍યાજબી નિરાકરણ આપશે.

ટપાલ સેવાઓને લગત ફરિયાદો કે.એસ.શુકલ, સહાયક નિર્દેશક ડાક સેવાઓ, પોસ્‍ટ માસ્‍તર જનરલ, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ ક્ષેત્ર, ૩જો માળ, હેડ પોસ્‍ટ ઓફિસ, રાજકોટ-૩૬૦૦૦૧ને તા. ૧૭ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવી.

ફરિયાદો કોઇ એક મુદ્દા પર જ આપવાની રહેશે. એકથી વધુ મુદ્દાની ફરિયાદ પર ધ્‍યાન આપવામાં નહી આવે જેની નોંધ લેવા એક અરજીમાં ફરિયાદની વિગત ટૂંકમાં તથા સ્‍પષ્‍ટ રીતે પુરી વિગતો સાથે સ્‍વચ્‍છ અક્ષરમાં આપવા વિનંતી કરવામાં આવી છે.

(11:34 am IST)