Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

હૈ અપના દિલ તો આવારા... સોમવારે સૂરોનો સંસાર ગુંજશે

ભગવતીભાઇ મોદીની વિદાય બાદ આર.ડી.ઠક્કર દ્વારા દ્વિતીય કાર્યક્રમ : વિખ્યાત ગાયકો સરિતા રાજેશ, હરીશ ગવાલાજી, સંગીતા ઢાકેચા જમાવટ કરશેઃ શ્રોતાઓ ડોલશે : મેમ્‍બરશીપ રીન્‍યુ, નવા મેમ્‍બર થવા માટે તેમજ ટીકીટ માટે આર.ડી.ઠકકર સંપર્ક ૯૪ર૭ર ૦૦૦પપ, ૯૯૮૭૬ ૦૦૦પપ

ગાયિકા સરિતા રાજેશ આશાજી સાથે તથા હરીશ ગવાલા ગુલામ અલી તથા અનુપ જલોટા સાથે તથા સરિતા રાજેશ આણંદજીભાઇ સાથે તથા સંગીતાબેન ઢાકેચા અને સૂર સંસારના સ્‍થાપક સ્‍વ. ભગવતીભાઇ મોદી તથા વર્તમાન સંચાલક આર.ડી. ઠકકર દર્શાય છે.

આપણી ‘‘સૂર સંસાર'' સંગીત પરિવાર આપ સહુના સાથ સહકારથી ફરી ગુંજતી થઇ ગઇ છે. આત્‍મીય સ્‍વજન અને સંસ્‍થાના સ્‍થાપક શ્રી ભગવતીભાઇ મોદીને આપણે બધા સાથે અંતરથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલીનો પ્રથમ કાર્યક્રમ રૂપે અર્પણ કરી શકયા.

આણા ‘‘સૂર સંસાર'' સંગીત પરિવારનો બીજો કાર્યક્રમ તા.૧૬ ને સોમવારના રોજ હેમુગઢવી હોલ ખાતે થવા જઇ રહયો છે જેમા આપણી પ્રણાલીકા મુજબ હેમતકુમાર, મન્‍નાડે, તલત મેહમુદ, મુકેશજી, લતાજી, આશાજીના ગીતો રજુ થશે. જેમાં મુંબઇના સુવિખ્‍યાત ગાયકીના ગીતો કાર્યક્રમમાં રજુ કરવામાં આવશે. તેમજ સંગીત અમદાવાદના પ્રસિધ્‍ધ એસ્‍કેસ્‍ટ્રા દ્વારા કરવામાં આવશે.

આપણા કાર્યક્રમના પ્રથમ ગાયક શ્રીમતી સરિતા રાજેશ કે. જુઓનુ મુંબઇ સંગીત જગતમાં ખૂબજ  મોટુ નામ કહેવાય અને ભારતીય હિન્‍દી સિનેમા જગતના પ્રખ્‍યાત સંગીતકાર લક્ષ્મીકાન્‍ત પ્‍યારેલાલના પ્‍યારેલાલજી અને કલ્‍યાણજી આણંદજીના આણંદજીભાઇ જેને. પોતાની દીકરી તુલ્‍ય માને છે જેવો આ બન્ને દિગ્‍ગજ સંગીતકારોના અનેક સ્‍ટેજ શો કરેલ છે. તેમજ હિન્‍દી ફિલ્‍મ જગતના અનેક પાશ્વગાયક કુમાર સાનુ, ઉદીત નારાયણ, સોદેશ ભોસલે, સુરેશ વાડેકર, જેવા અનેક મોટાગજાના કલાકારો સાથે દેશ વિદેશમાં પોતાના અવાજના જાદુથી સંગીત જગતમાં પોતાનુ આગવુ સ્‍થાન પ્રાપ્ત કરેલ છે. લતાજીના ગીતો તેમના કંઠે સાંભળવા એ પણ એક લાવો છે મને આશા છે કે આપણા ‘સૂર સંસાર' પરિવારનો તેમને સાંભળી ખુબજ પ્રસન્‍ન થઇ જશે.

એવાજ આપણા બીજા ગાયક શ્રી હરીશ ગવાલાજી કે જેઓ મુંબઇથી  છોટા જગજીતના નામે ઓળખાય છે. તેમની સુમધુર કલાસીકલ ગાયકીથી હજારો દિલમા રાજ કરે છે.અને છેલ્લા દસ વર્ષથી ભારતની નંબર વનની સેવન સ્‍ટાર હોટલ ભારત ગૌરવ એવી તાજ હોટલમાં તેમના વીકમા બે કાર્યક્રમો યોજાય છે તેઓએ શ્રી અનુપ જલોટા, મનહર ઉધાસ, પંકજ ઉધાસ જેવા અનેક ગઝલ ગાયકો સાથે ભારતમા જ નહી વિદેશોમાં પણ ઘણા શો કરીને સંગીત જગતમાં પોતાનુ એક ઉચ્‍ચ કોટીનું સ્‍થાન બનાવેલ છે તેમના મખમલી અવાજમાં તલતજી, હેમતકુમાર, જગજીતસિંઘના ગીતો અને ગઝલો સાંભળી એ એક સૌભાગ્‍યની વાત છે અને આપણા પરિવારના તેઓ એક ચોકકસ માનીતા અને લાડીલા ગાયક બની જશે અને આ કાર્યક્રમને અવિસ્‍મરણીય બનાવી જશે.

એવા જ આપણા ત્રીજા ગાયક શ્રીમતી સંગીતાજી કે. જેઓ છેલ્લા પંદર વર્ષથી ‘ઓલ્‍ડ ઇઝ ગોલ્‍ડ' નામના શોમાં પોતાનો સુરીલો અવાજ આપે છે  તેમની ગાયકીમા લતાજીની ખુબજ સારી ઝલક જોવા મળે છે તેમની આગવી છટા અને ગાયકીથી તેવો શ્રોતાઓને ખુબજ મંત્રમુગ્‍ધ કરી દે છે. આ ત્રણેય ગાયકો આપણા ‘સૂર સંસાર' પરિવારમાં અને રાજકોટ હેમુગઢવી હોલમાં આપણા કાર્યક્રમના સર્વ પ્રથમ વાર આવે છે જે આપણા માટે ખૂબજ આનંદ વાત કહી શકાય મને આશા છે. કે આ કાર્યક્રમ આપણી સંસ્‍થાનો માઇલ્‍સ્‍ટોન કાર્યક્રમ બની જશે.આ કાર્યક્રમની માણવા ટીકીટ માટે તેમજ ‘સૂર સંસાર' પરિવારના કાયમી સભ્‍ય પદ મેળવવા માટે આપ શ્રી આર.ડી.ઠકકરનો સંપર્ક કરી શકો જો.જેમના સંપર્ક નં. ૯૪ર૭ર ૦૦૦પપ-૯૯૭૮૬ ૦૦૦પપ છે જેની નોંધ લેવા વિનંતી

(4:18 pm IST)