Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

છાપરવાડી, આજી-૨ અને ખોડાપીપર ડેમના હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના

રાજકોટ : અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામ પાસેનો છાપરવાડી-૧(કબીર સરોવર) ડેમની હેઠવાસમાં આવેલા ડૈયા, ચરખડી, કોલીથડ, લુણાવાવ, પડવલા, વેજાગામ અને ગરનલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. એવી જ રીતે આજી-૨(બે)ડેમના હેઠવાસના અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢડા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના અને પડધરી તાલુકા પાસેના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમના હેઠવાસમાં આવેલા ખોડાપીપર અને થોરીયાળી ગામોના તથા ટંકારા તાલુકાના ખાખરા ગામોના  નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે

(5:52 pm IST)