Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

કોરોનાએ કાળો કેર વર્તાવ્યો: રાજકોટ પ્રતિક્રમણ યોજના મંડળના અગ્રણી શાસન પ્રેમી શૈલેષભાઈ મહેતાનું દુઃખદ અવસાન..

રાજકોટ: રાજકોટ પ્રતિક્રમણ યોજના મંડળના અગ્રણી શાસન પ્રેમી શૈલેષભાઈ મહેતા ( ઉં.વષૅ 59)નું ગઈ કાલે રાત્રે તા.૧૦-૧૦-૨૦૨૦ ના દુઃખદ અવસાન થયું છે.

પ્રતિક્રમણ યોજના મંડળના સ્થાપક આદરણીય સુશ્રાવક શ્રી મુળવંતભાઈ દોમડીયાની વિદાય પછી ધમૉનુરાગી શૈલેષભાઈ આદિ ધમૅ પ્રેમીઓ શ્રી આવશ્યક સૂત્રને જીવંત રાખવા કટીબધ્ધ બનેલ.

મનોજભાઈ ડેલાવાળાએ જણાવ્યું કે રાજકોટના લગભગ એક સો ઉપરાંત સ્થળોએ પવૉધિરાજ પર્યુષણ પવૅમાં શૈલેષભાઈ પોતે સમયનો ભોગ આપી સુંદર વ્યવસ્થા ગોઠવી ધમૅકરણીમાં સૌને સહાયરૂપ બનતા. જૈનશાળા ઉત્થાન અને ઉત્કષૅ માટે તેઓનું યોગદાન અનેરુ હતું. જિન શાસનની ભાવિ પેઢી તૈયાર કરવા તેઓ સદા તત્પર રહેતાં.

શૈલેષભાઈના ધમૅપત્ની જયશ્રીબેન શાસન સેવામાં સદા સહયોગ આપતા. જયશ્રીબેન પણ રાજકોટ ધમૉલય ખાતે મહિલા મંડળમાં અનુમોદનીય સેવા પ્રદાન કરે છે.

રમેશભાઈ દોમડીયાએ જણાવ્યું કે શૈલેષભાઈ ઈરીગેશન ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર હતાં. પર્યુષણ પવૅમાં તેઓ રજા રાખી શાસન સેવામાં સમયનું દાન આપી શાસન સેવામાં સહાયક બનતા. તેઓનું પ્રતિક્રમણ શ્રવણ કરવું એક લ્હાવો હતો. શૈલેષભાઇ અથૅ સહિત, ભાવસભર પ્રતિક્રમણની સુંદર આરાધના કરાવતા. તેઓના પરલોકગમનથી પ્રતિક્રમણ યોજના મંડળ તથા સમસ્ત જિન શાસનને એક આદશૅ સેવાભાવી સુશ્રાવકની ખોટ પડી છે.સદ્દગત આત્મા ચિર : શાંતિ,સમાધિને પ્રાપ્ત કરી શીઘ્રાતિ શીઘ્ર શાશ્વત સુખોને પ્રાપ્ત કરે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાથૅના.. (સોશ્યલ મીડિયામાંથી સભાર)

(1:23 pm IST)