Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

દ્વારકાધીશ સોસાયટીમાં બીમારીથી કંટાળી નિતાબેન દેત્રોજાનો એસીડ પી આપઘાત

રાજકોટ તા. ૧રઃ મવડીના જલજીત રોડ પર આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળી એસીડ પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ જલજીત રોડ ઉપર ઉમીયા ચોક પાસે આવેલી દ્વારકાધીશ સોસાયટી શેરી નં. ૪ માં રહેતા નીતાબેન નાનજીભાઇ દેત્રોજા (ઉ.વ. પર) એ ચાર દિવસ પહેલા પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં ગઇકાલે તેનું સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજયું હતું. મૃતક નીતાબેનને સંતાનમાં એક પુત્ર છે. ફેફસા અને કિડનીની બીમારીથી કંટાળી તેણે આ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ બી. બી. રાણા તથા રાઇટર પ્રશાંતસિંહએ કાગળો કરી જેની તપાસ ગીતાબેન પંડયાએ હાથ ધરી છે.

બેભાન હાલતમાં નીતીનભાઇનું મોત

મવડી ગામમાં રહેતા નીતીનભાઇ બચુભાઇ જેઠવા (ઉ.વ. પર) રાત્રે પોતાના ઘરે હતા ત્યારે એકાએક તે બેભાન થઇ જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. પ્રવિણભાઇ જીલરીયા અને વાલજીભાઇએ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)