Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ધી આઇ.સી.એસ.આઇ.રાજકોટ દ્વારા કે.એસ.કે.વી. કચ્છ યુનિ. સાથે કોલોબ્રેસન

રાજકોટ : ધી આઈ.સી.એસ.આઈ (રાજકોટ ચેપ્ટર) દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સીટી સાથે એકેડેમિક કોલબ્રેસન કરવામાં આવેલ જેને અંતર્ગત આઈ.સી.એસ.આઈના મેમ્બરો યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી કરી શકશે તેમજ આ કોલબ્રેસન અંતર્ગત એકબીજાના બન્ને સંસ્થા એક બીજા ના અનુભવી પ્રોફેસર્સ ની આપલે કરી શકશે. યુનિવર્સીટીના વિદ્યાર્થીઓને આઈ.સી .એસ.આઈ ના પુસ્તકો પણ યુનિવર્સિટીની લાઈબ્રેરી માંથી મળી રહેશે આ ઉપરાંત બન્ને સંસ્થા વિદ્યાર્થીઓના ઉજળા ભવિષ્ય માટે સમયાંતરે સંયુકતપણે એજયુકેશન સેમીનાર નુ પણ આયોજન કરશે તેવું રાજકોટ ચેપ્ટર ના ચેરમેન સીએસ નીખીલ ગજ્જરે યાદીમાં જણાવ્યું છે.

(4:03 pm IST)