Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

પીડીયુ સીવીલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિના કાઉન્સેલરપદે પૂનઃ જયંત ઠાકરની વરણી

રાજકોટ તા. ૧ર : પીડીયુ સીવીલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ, રાજકોટના સક્રિય કાઉન્સેલર જયંત ઠાકરની સીવીલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતિના કાઉન્સેલર તરીકે પુનઃ વરણી થયેલ છે.

જયંતભાઇ ઠાકરે પોતાના પ્રથમ કાર્યકાળમાં હોસ્પિટલને લગતા પ્રશ્નો અને ખાસ કરીને દર્દીઓને સારવારને લગતા પ્રશ્નો પરત્વે સતત સક્રિયતા દાખવી, કોરોના કાળમાં દર્દીઓને મદદરૂપ થવા માટે ર૪ કલાક ઓનકોલ પર રહી હોસ્પિટલ સતાવાળા સાથે સંકલન કરવુ, હોસ્પિટલમાં વડીલો માટે કેસબારી પર અગવડતા ન પડે તે માટે બાંકડા મુકાવવા, હોસ્પિટલના જરૂરીયાત હોય તેવા ઇન્સ્ટ્રુ્રુમેન્ટો તેમજ સીવીલ હોસ્પિટલમાં ફુલટાઇમ ન્યુરોસર્જન માટે હોસ્પિટલ તંત્રને રજુઆતો કરવી. જેવી કામગીરીને ધ્યાનમાં લઇ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકારે ફરી આગામી ત્રણ વર્ષ માટે પીડીયુ સીવીલ હોસ્પિટલના કાઉન્સેલર તરીકે તેઓની વરણી કરેલ છે.

જયંતભાઇ ઠાકરે જણાવેલ કે રાજકોટ પીડીયુ સીવીલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓને કોઇ અગવડ ન પડે તે માટે અંત્યાઆધુનિક સાધનો અને સારવાર દરેકને ઉપયોગી બને તે માટે તત્પર રહીશુ. દર્દીઓની કોઇપણ સમસ્યા પ્રત્યે સજાગ રહી દર્દીઓના પ્રશ્નોને વાચા આપવા કટીબદ્ધ રહેવા જયંતભાઇ ઠાકર (મો.૯૮ર૪૮ ર૬૭ર૮) એ કોલ આપ્યો છે.

(2:45 pm IST)