Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વોર્ડ નં. ૧૫ માં આદીવાસી ઉમેદવારી અંગે

મહીલા કોંગ્રેસ અગ્રણી જયાબેન ચૌહાણે ઉઠાવી વિજીલન્સ તપાસની માંગણી

રાજકોટ તા. ૧૩ : શહેર કોંગ્રેસ આદીવાસી વિભાગના વાઇસ ચેરમેન અને સોનિયા ગાંધી બ્રીગેડના વાઇસ ચેરમેન શ્રીમતી જયાબેન ચૌહાણે વોર્ડ નં. ૧૫ માં આદીવાસી અને અનુ.જનજાતિ માટે બેઠક અનામત હોવા છતા ઉમેદવારી કરી રહેલ કોંગ્રેસના મહીલા ઉમેદવાર આ કેટેગરીમાં આવે છે કે કેમ તે અંગે તપાસ કરવા રાજય ચુંટણી આયોગ અને જિલ્લા કલેકટરને રજુઆત કરી છે.આદીવાસી અનુ.જનજાતિના ભ્રામક સર્ટીફીકેટના આધારે ચુંટણી લડવા પ્રયાસ તો નથી થયોને ? તે અંગે વિજીલન્સ તપાસ હાથ ધરવા જયાબેન ચૌહાણ (મો.૯૯૦૪૬ ૨૪૨૮૬) એ માંગણી ઉઠાવી છે.

(2:52 pm IST)