Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટમાં અક્ષર માર્ગ પરના શિલ્પા લાઈફ સ્ટાઇલ શો રૂમનો સેલ્સમેન નિકુંજ અડેસરા ૪ કરોડ ૭૧ લાખ ૫૦ હજારના સોનાના દાગીના ચાઉ કરી ગયો

મેનેજર પ્રિતેશ રાણપરાએ માલવીયનગર પોલીસમાં નોંધાવી ફરિયાદ

રાજકોટ: શહેરના અક્ષર માર્ગ પર આવેલા શિલ્પા લાઈફ સ્ટાઇલ શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો શખ્સ પોણા પાંચ કરોડના દાગીના ઓળવી જતાં ચકચાર જાગી છે. આ મામલે શો રૂમના મેનેજર પ્રીતેશભાઈ પ્રકાશભાઇ રાણપરા (રહે.પુજારા પ્લોટ શેરી નં.૪નો ખૂણો બાલમુકુંદ એપાર્ટમેન્ટ ક્લેટ નમ્બર ૩૦૨ કાંતા સ્ત્રી વીકાસ ગૃહથી આગળ)ની ફરીયાદ પરથી પોલીસે નીકુંજ જમનાદાસ આડેસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મેનેજર પ્રીતેશભાઈ રાણપરાએ જણાવ્યું છે કે હું અક્ષર માર્ગ ઉપર એસબીઆઈ બેંકની સામે આવેલ શિલ્પા લાઇફ સ્ટાઇલ શો-રૂમ પર સાઈટ બીલડીંગમા બ્રાંચ મેનેજર તરીકે છેલ્લા સત્તર વર્ષથી નોકરી કરૂ છું. આ શો રૂમમાં અમે સોનાના તેમજ હીરાના દાગીનાનું વેચાણ કરીએ છીએ. આ શો રૂમમા સેલ્સમેન તરીકે નીકુંજ જમનાદાસ આદેસરા ( ઉ.વ.૨૩ રહે.ભીડ ભંજન સોસાયટી શેરી નં ૫ શ્રી નાથજી-૨ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૪૦૨ રાજકોટ) છેલ્લા સાતેક વર્ષથી નોકરી કરે છે અને હાલમાં તે શિલ્પા લાઇફ સ્ટાઇલ શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. 

 શો રૂમમા નીકુંજને સોનાના ચેઈન અને સોનાના મંગલસુત્ર અને સોનાના પંજાનુ વેચાણ અને સ્ટોક મેઇનટેઈન કરવાનું કામકાજ સોંપાયું હતું. તેમજ તેનો હીસાબ નીકુંજ આડેસરા સંભાળતો હતો અને દરરોજના વેચાણનો હીસાબ રાત્રીના સમયે શો રૂમ બંધ કરવા સમયે  કોમ્યુટરાઇઝડ હીસાબ મારી પાસે ટેલી કરાવવાનો હોય છે અને દર મહીને એક વાર આ સોનાના દાગીનાની ગણતરી કરી અને કોમ્પ્યુટરાઈઝડ સ્ટોક સાથે મેળવી ચેક કરી તેનો વેચાણનો હિસાબ દરેક વ્યકતી દીઠ અલગ અલગ ચેક કરતા હોય છીએ. 

 દરમ્યાન તા. ૧૧/૦૩/૨૦૨૩ના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ અમે તથા અમારા શો રૂમના માલીક હીરેન પ્રભુદાસભાઈ પારેખ સાથે મળી સોનાના દાગીનાનો હીસાબ ચેક કરતા હતા ત્યારે જણાયેલ કે શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા નીકુંજ જમનાદાસ આડેસરાને અમારા શો રૂમના વેચાણ માટે આપેલ સોનાના ચેઈન, મંગલસૂત્ર અને સોનાના પંજાના ટોટલ સ્ટોકમાંથી સોનાના ચેઈને અલગ અલગ ડીઝાઈનના કુલ ૩૮૧ જેનું કુલ વજન ૬,૫૦૦ ગ્રામ જેની કિમત આશરે રૂ.૩,૭૭,૦૦,૦૦૦ (ત્રણ કરોડ સીનોતેર લાખ), સોનાના મંગળસૂત્ર નંગ ૧૫૦ જેનું કુલ વજન ૧૩૦૦ ગ્રામ જેની કિંમત રૂા ૩૫,૪૦,૦૦૦/-(પીચોતેર લાખ ચાલીસ હજાર ) તથા સોનાના પંજા નંગ-૧૪ જેનું ક્લ વજન ૩૨૫ ગ્રામ જેની કિંમત રૂ.૧૮,૨૫,૦૦૦ (અઢાર લાખ પચીસ હજાર) જેટલી થાય છે તે સોનાના દાગીના વેંચાણ અર્થે આપેલ હોઇ જેનો વેચાણનો હીસાબ કે સ્ટોકનો નંગ મેળનો હિસાબ આપેલ નહી અને જેથી આ નીકુંજ આડેસરાને આ દાગીનાના હીસાબે બાબતે પુછતા તેણેકોઈ વ્યાજબી જવાબ આપેલ નહી.     

આમ નીકુંજ શો રૂમમા વેચાણ અર્થે આપેલ સોનાના કુલ દાગીના કુલ વજન ૮૧૨૫ ગ્રામ જેની કુલ કીમત આશરે રૂ. ૪,૭૧,૫૦,૦૦૦ જેટલી થાય છે તે દાગીના અમારી સાથે વીશ્વાસઘાત છેતરપિંડી કરી ઓળવી ગયેલ હોઇ ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં મેનેજરે જણાવતા પીઆઇ આઈ.એન. સાવલિયાની રાહબરીમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

(9:02 pm IST)