Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

રાજકોટ જિલ્લાના બોર્ડના પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર ૮૪૬૯૬૩૮૯૫૬ જાહેર કરાયો

રાજકોટ : રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓનાં હિતાર્થે કાઉન્સિલીંગ માટે જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુંઝવણ કે પરીક્ષાને લગતી સમસ્યા હોય તો તેનું તુરંત જ નિરાકરણ લાવી શકાય તે માટે રાજકોટ જિલ્લામાં પરીક્ષા પહેલા જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, શ્રી કરણસિંહજી હાઈસ્કુલ, કરણસિંહજી રોડ, સીટી ગેસ્ટ હાઉસ સામે, રાજકોટ ખાતે કાઉન્સિલીંગ માટેનો જિલ્લા કંટ્રોલરૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આ જિલ્લા કંટ્રોલ રૂમ તા.૧૩/૦૩/૨૦૨૩ થી તા.૨૯/૦૩/૨૦૨૩ સુધી જાહેર રજાઓ સહિત સવારના ૦૭.૦૦ વાગ્યાથી શરૂ કરી રાત્રીના ૦૭.૦૦ વાગ્યા સુધી કાર્યરત રહેશે. બોર્ડના કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો આ કંટ્રોલરૂમમાં ૮૪૬૯૬૩૮૯૫૬ ફોન નંબર પર સંપર્ક કરી શકશે.
વધુ વિગતો માટે બોર્ડની વેબસાઈટ www.gseb.org, બોર્ડનો ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦,  "જીવન આસ્થા" ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦-૨૩૩-૩૩૩૦, સ્ટેટ રૂમ સંપર્ક નંબર ૯૯૦૯૦૩૮૭૬૮, ૦૭૯ - ૨૩૨૨૦૫૩૮ ઉપર પણ વિદ્યાર્થીઓ સંપર્ક સાધી શકે છે.
બોર્ડની પરીક્ષાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે કોઈ પણ જાતની પરેશાની ન અનુભવે તે માટે વીજ કંપની, એસ.ટી. વિભાગ, આરોગ્ય વિભાગ તથા પોલીસ વિભાગની મદદથી તમામ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

(9:40 am IST)