Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

જમીને સુતા બાદ દિપ્‍તીનગરના હંસાબેન વાડોલીયા જાગ્‍યા જ નહિ

અલ્‍કાપાર્કના નિલેષભાઇ વઘાસીયાએ પણ બેભાન હાલતમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૩: કોઠારીયા રોડ પર દિપ્‍તીનગરમાં રહેતાં હંસાબેન નરસીભાઇ ગોંડલીયા (ઉ.વ.૫૮) બપોરે ઘરમાં બેભાન થઇ જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કર્યુ હતું.

મૃત્‍યુ પામનાર હંસાબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બપોરે જમીને તેઓ સુઇ ગયા બાદ ચા પીવા માટે જગાડવા જતાં નહિ જાગતાં હોસ્‍પિટલે ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ન્‍યુ આશ્રમ રોડ અલ્‍કાપાર્ક-૨માં રહેતાં નિલેષભાઇ રમેશભાઇ વઘાસીયા (ઉ.વ.૪૧) કોઠારીયા રોડ પર બીલીપત્ર એપાર્ટમેન્‍ટ ખાતે હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના પરષોત્તમભાઇ અને જયદિપભાઇએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.

(11:57 am IST)