Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

બોર્ડના પરિક્ષાર્થીઓના ખોટા ભયનું સાચું નિદાન અને યોગ્‍ય ઉપચાર

બોર્ડની પરીક્ષામાં બેસનારા લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ પોતાના સાવ નજીકના ભુતકાળનેય ભુલી જાય છે. દર પરીક્ષા વખતે દર વરસે વિદ્યાર્થીની હાલત પરિક્ષાના ડરના કારણે આજકાલ જેવીજ હોય છે. તેમ છતા દર વખતે પાસ થઇને ધો-૧૦કે ૧૨ સુધી તે આવી પહોંચે તે જ શું તેની શૈક્ષણિક લાયકાતનું ઉત્તમ પ્રમાણપત્ર નથી?

બાળકનો કુમળા માનસમાં ઘર, શેરી, સ્‍કુલ  સમાજ તરફથી નાનપણથી બોર્ડની પરીક્ષાનો હાઉ ઘુસાડી દેવામાં આવે છે. ૧૦માં ધોરણમાં આવ પછી ખબર પડશે? જેવું ચોતરફથી સંભળાવવામાં આવે છે. આત્‍મવિશ્વાસના અને અનુભવના અભાવે વિદ્યાર્થી માની પણ લે છે.

બોર્ડની પરીક્ષાઓમાં ઘણીવાર નચિંત-પ્રસન્નચિત નબળા ગણાતા વિદ્યાર્થીઓ પણ નિયમિત થયેલા હોશિયાર વિદ્યાર્થીઓ કરતા પણ વધુ સારા પરિણામો લાવતા હોય છે. કારણકે નબળા છતા સ્‍વસ્‍થ ચિતવાળા પરીક્ષાર્થીઓ ભલે ઓછુ આવડતું હોય છતા વ્‍યવસ્‍થિત રીતે વિચારીને કાળજીપૂર્વક સરખાં જવાબો લખી શકે છે. જયારે હોશિયાર હોવાછતા ઘણા પરિક્ષાર્થીઓ ભયભિત હોવાથી પ્રશ્નપત્રોના જવાબો વિષે વ્‍યવસ્‍થિત રીતે વિચારી શકતા નથી અને પરિણામે લખી પણ શકતા નથી.

અત્‍યાર સુધીની તમારી દરેક પરીક્ષાઓ તમારી જ સ્‍કુલોમાં, તમારા જ મિત્રો વચ્‍ચે બેસીને, તમારા પોતાના જ શિક્ષકોના સુપરવિઝન હેઠળ પરીક્ષા આપ્‍યે રાખી છે. બોર્ડની પરીક્ષામાં ફકત ફર્ક એટલો જ છે કે તમારી અજાણ્‍યા કેન્‍દ્રોમાં, અપરિચિત વિદ્યાર્થીઓ  સાથે અને નવાનવા નિરિક્ષકોનાં સુપરવિઝનમાં આપવાની હોય છે.

બોર્ડની છ માસિક અને પ્રિલિમ પરીક્ષા તો તમારી પોતપોતાની સ્‍કુલોમાં જ લેવાયેલી છે. જેનાં આધારે પરિણામોમાંથી દરેકને પોતપોતાની સ્‍કુલોમાં જ લેવાયેલી છે. જેના આધારે પરિણામોમાંથી દરેકને પોતપોતાની ક્ષમતાનો અંદાઝ તો આવી જ ગયો હોય છે.

બોર્ડની પરિક્ષા વખતે ફકત સેન્‍ટર જ ફરે છે. અભ્‍યાસક્રમ એજ હશે કે જે તમને ભણાવવામાં આવ્‍યુ છે. તમારા પોતાના વિવિધ વિષયોના નિષ્‍ણાંતો દ્વારા જે માર્ગદર્શન આપવા આવ્‍યુ હશે તે રીતે જ ફકત અન્‍ય સેન્‍ટરમાં પ્રશ્નપત્રોનાં જવાબ આપવાના છે. એટલે મુંજવાનો સવાલ જ નથી.

બોર્ડની પરિક્ષા વખતે તમારી સ્‍કુલના શિક્ષકો, પ્રિન્‍સિપાલ વિવિધ કેન્‍દ્રોના સંચાલકો તથા તમારા દરેક વિષયોની પરીક્ષા વખતે તમારા નવાનવા સુપરવાઇઝરો તમારા હિતમાં છેલ્લે સુધી હેલ્‍પલાઇનમાં શહે. જેથી તમારે જરાય મુંજાવનું નથી.

તમે તમારા બ્‍લોકમાં સમયસર પહોંચી ગયા એટલે તમારી પ્રશ્નપત્રોમાં જવાબો સિવાયની તમામ જવાબદારી સુપરવાઇઝરની છે. જયાં પણ મુંઝાવ ત્‍યાં ઇશારો કરવા હાથ ઉંચો કરો એટલે તરત જ તમારા સુપરવાઇઝરો તમારી સમસ્‍યા ઉકેલવા હાજર થશે.

અમુક બાબતોની કદાચ તમને ખબર ના હોય. તમારૂ પરિણામ નબળુ આવે તો તમારા વિષયોના શિક્ષકોને અને પ્રિન્‍સીપાલોને સજા થાય છે. પગાર, ઇજાફો અને ઇન્‍ક્રીમેન્‍ટો અટકાવાય છે. બોર્ડની પરીક્ષાના પેપરો તપાસ-ચકાશવામાં જરા પણ જોનારા વેઠ કરે તો તેને પણ દંડ ભોગવવો પડે છે. બોર્ડ હંમેશાં તમારૂ ભલુ જ ઇચ્‍છે છે.

એક વર્ષ ગણિતના પેપરમાં બોર્ડ છબરડો કરેલો. જેથી આ વિષયમાં વિદ્યાર્થીઓને ગ્રેસીંગરૂપે ૧૪ માર્કસ આપવા પડેલાં. આથી વિશેષ તમારે શું જોઇએ? ઓલ ધ બેસ્‍ટ

અમરશી પંચાસરા

(નિવૃત માધ્‍ય.શિક્ષક, રાજકોટ)

(1:08 pm IST)