Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત રાજકોટના પ્રમુખપદે નરેન્‍દ્રભાઈ સોલંકીની સર્વાનુમતે વરણીઃ અભિનંદનવર્ષા

ત્રણ દાયકાઓથી કડિયા જ્ઞાતિનું સુકાન સંભાળે છે, વિવિધ સંસ્‍થાના હોદેદારોની નિયુકતી

રાજકોટઃ શ્રી નરેન્‍દ્રભાઈ એમ. સોલંકીની શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેઓ છેલ્લા ૩૦થી વધુ વર્ષોથી કડિયા જ્ઞાતિનું સુકાન સંભાળે છે. સમાજની વિવિધ સંસ્‍થાઓ તેમના માર્ગદર્શન હેઠળ કામ કરી રહી છે. જેમાં લોહાણાપરા મહાજનવાડી, જાગનાથ બોર્ડીંગ, કાલાવડ રોડ ઉપર મોહન માંડણ વિદ્યાર્થી ભવન, કડિયા જ્ઞાતિ વિદ્યાર્થી મંડળ, સમુહલગ્ન સમિતિ, સાંસ્‍કૃતિક સમિતિ, શ્‍યામવાડી વિગેરે સંસ્‍થાઓનું તેઓ સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યા છે. રાજકોટમાં હાલમાં જ્ઞાતિ સમસ્‍તની ટાઈટલ કલીયર અવસ્‍થામાં કરોડો રૂપિયાની સ્‍થાવર મિલ્‍કતો આવેલી છે. જેની તેઓ દેખભાળ કરી રહ્યા છે. તેમજ તેઓ દ્વારા સમાજમાં શૈક્ષણિક તેમજ સામાજીક સેવાનું યોગદાન સતત ચાલી રહ્યું છે. જે વધુ પાંચ વર્ષ માટે પ્રાપ્‍ત થશે.

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વિવિધ સંસ્‍થાના કારોબારી સભ્‍યો/ ટ્રસ્‍ટીઓની ચૂંટણી / પસંદગી કરવા માટે જાહેરાત પ્રસિધ્‍ધ કરવામાં આવી હીત. જેના અનુસંધાને શ્‍યામવાડી ખાતે જ્ઞાતિ બંધુઓની સામાન્‍ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્‍યામાં જ્ઞાતિબંધુઓ હાજર રહેલ હતા.

જેમાં સૌ પ્રથમ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટ પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ એમ. સોલંકીના નામની દરખાસ્‍ત થતાં હાજર રહેલ તમામ જ્ઞાતિ બંધુઓએ સર્વાનુમતે તેઓની પ્રમુખ તરીકે વરણી કરી હતી.

શ્રી નરેન્‍દ્રભાઈ સોલંકીની જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટના પ્રમુખશ્રી તરીકે વરણી થતા તેમના દ્વારા શ્‍યામવાડીના પ્રમુખ તરીકે શ્રી મનસુખભાઈ વી. ટાંકનું નામ સૂચવવામાં આવતા હાજર જ્ઞાતિજનોએ સર્વાનંમતે મનસુખભાઈ ટાંકને પસંદ કર્યા હતા. વિદ્યાર્થી મંડળના પ્રમુખ તરીકે શ્રી ડી.પી. રાઠોડ બોર્ડીંગ કમિટિના ચેરમેન તરીકે શ્રી નરસિંહભાઈ સવાણી, સમુહલગ્ન સમિતિના પ્રમુખ તરીકે શ્રી રશ્‍મીનભાઈ કાચા તથા સાંસ્‍કૃતિક સમિતિના ચેરમેન તરીકે શ્રી વિરેન કાચાની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. વાઈસ ચેરમેન શ્રી દિનેશભાઈ જાવીયાને પસંદ કરવામાં આવ્‍યા હતા.

દરેક સંસ્‍થાઓના પ્રમુખશ્રીઓની પસંદગી બાદ તેમના કારોબારી સભ્‍યો તથા અન્‍ય હોદેદારોની પસંદગી કરવામાં આવી હતી. જ્ઞાતિ સમસ્‍ત, રાજકોટના ઉપપ્રમુખ તરીકે શ્રી હેમરાજ કાચા, મંત્રી તરીકે શ્રી હરસુખભાઇ ચોટલીયા, ખજાનચી તરીકે સુનીલભાઇ ચાવડા તથા કારોબારી સભ્‍યોમાં શ્રી નંદલાલભાઇ રાઠોડ, શ્રી જયંતભાઇ ગાંગાત્રી, દામજીભાઇ ચોટલીયાની પસંદગી થઇ હતી.

શ્‍યામવાડી ટ્રસ્‍ટના ઉપપ્રમુખ તરીકે શ્રી કિશોરભાઇ પરમાર, મંત્રી તરીકે શ્રી રતિભાઇ ટાંક, સહમંત્રી તરીકે શ્રી કાંતિભાઇ રાઠોડ, ખજાનચી તરીકે શ્રી કાંતિભાઇ ચાવડા તથા કારોબારી સભ્‍યોમાં પ્રવિણભાઇ રાઠોડ, બીપીનભાઇ ચોટલીયા, કરશનભાઇ ગાંગાણી, કિરિટભાઇ રાઠોડ, રાજુભાઇ કાચા, અરવિંદભાઇ ગોહેલ, હિતેષભાઇ રાઠોડ તથા હિતેષભાઇ ટાંકની પસંદગી કરવામાં આવી હતી.

વિદ્યાર્થી મંડળના ઉપપ્રમુખ તરીકે શ્રી જયેશભાઇ ટાંક મંત્રી શ્રી હસમુખભાઇ ગોહેલ, ખજાનચી-શ્રી રવિભાઇ વાઘેલા, સહમંત્રી-શ્રી ભાવિનભાઇ ચોટલીયા, તથા કારોબારીમાં જગદીશભાઇ ચોટલીયા, હરીભાઇ પરમાર, ધવલ ટાંક સંજય ગાંગાણી, તથા બાબુભાઇ રાઠોડ, રાકેશભાઇ મનાણી, જયેશભાઇ ટાંક, જયેશભાઇ જાદવ, તેજસભાઇ રાઠોડ, તેજસભાઇ ગાંગાણીની પસંદગી કરવામાં આવી હતી

વિદ્યાર્થી બોર્ડીગ સમિતિમાં શ્રી બાબુભાઇ સાોેલંકી તેજસ એમ.મકવાણા, મનોજ એસ.ગાંગાણી, કમલેશભાઇ ચૌહાણ, મહેન્‍દ્રભાઇ ગાંગાણી, કમેલેશભાઇ ચૌહાણ, મહેન્‍દ્રભાઇ ખોલીયા, દિનેશભાઇ પરમાર, મનસુખભાઇ ગાંગાણી અને અશોકભાઇ એન.સોલંકી તથા ભાર્ગવભાઇ એન.સોલંકીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી

નવી કારોબારીની પસંદગી થયા બાદ જ્ઞાતિના વિકાસ માટે જ્ઞાતિ સમસ્‍ત રાજકોટના પ્રમુખશ્રી નરેન્‍દ્રભાઇ એમ.સોલંકીએ માર્ગદર્શન આપ્‍યુ હતું. જ્ઞાતિની બંને વાડીના ભાડામાં થોડો વધારો કરીને સંસ્‍થાઓ આર્થિક રીતે પગભર થાય તેવા નિર્ણય લેવાયા હતા. જાગનાથ બોર્ડીગ જર્જરિત હોઇ તેનો વિકાસ કરવાનું તથા કાલાવડ રોડ ઉપર આવેલ વિદ્યાર્થી બોર્ડીગની પડતર જમીનનો પણ વિકાસ કરવાનું ઠરાવવામાં આવ્‍યુ. જ્ઞાતિના લીગલ એડવાઇઝર તરીકે એડવોકેટ એન્‍ડ નોટરી શ્રી જયંતભાઇ ગાંગાણી તથા એડવોકેટ શ્રી પરેશભાઇ બી.મારૂની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

(3:41 pm IST)