Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

પૂ. રંજનબાઇ તથા પૂ. પદમાબાઇ મહાસતીજીની દીક્ષા જયંતિ ધાર્મિક-જીવદયાના કાર્યોથી ઉજવાઇ

પૂ. ઇન્‍દુબાઇ મ.સ. તીર્થધામ ખાતે

રાજકોટ, તા. ૧૩ :  ગો.સં.પ્ર.ના સૌરાષ્‍ટ્રના સિંહણ વચન સિદ્ધિકા પૂ. શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજી તીર્થધામમાં મધુર વ્‍યાખ્‍યાની બા. બ્ર.પૂ. શ્રી રંજનબાઇ મહાસતીજી તથા આગમપ્રેમી બા.બ્ર. પૂ. શ્રી પદમાભાઇ મહાસતીજીની પ૭ મી દીક્ષા જયંતિ સમારોહ સંપન્ન થયેલ. જેમાં સવારથી માનવ મહેરામણ ઉમટી પડેલ છે.

સવારે સૌથી પ્રથમ નવકારશી ત્‍યારબાદ સોનલ સદાવ્રત સમારોહ, જીવન જરૂરીયાતની અનેક વસ્‍તુઓનું નવી બેગ સાથે વિતરણ કરવામાં આવેલ ત્‍યારબાદ જીવદયા સમારોહ જેમાં અનેક પાંજરાપોળમાં ગાય માતાને લાડવાનું ભોજન, પારેવાને દાળિયાનું ભોજન, શ્વાનોને દૂધ એવું અનેક જગ્‍યાએ જીવદયાપ્રેમીઓએ અનેક જગ્‍યાએ જીવદયાના કાર્યો કર્યા.

દીક્ષા જયંતિ પ્રસંગે આજે ૧૦ થી ૧૧:૩૦ સોનલ સેવા મંડળ, સોનલ સીનીયર સીટીઝન સોનલ સહેલી ગ્રૃપ તથા આમંત્રિત મહેમાનો માટે મહાન પ્રભાવક શાંતિના પ્રદાતા એવા શાંતિનાથ ભગવાનના જાપ કરાવ્‍યા તેમાં સંઘપ્રમુખ અશોકભાઇ પાનાચંદભાઇ દોશી તરફથી ૬૦ રૂા. ની પ્રભાવના કરવામાં આવી. સાથે ૧ર વાગે ભોજન દાનરત્‍ના શારદાબેન મોદી તથા હિમાંશુભાઇ શાહ અને હર્ષાબેન દોશી તરફથી કરાવવામાં આવ્‍યું.

આ પ્રસંગે સ્‍વરકિન્નરી સોનલબાઇ મહાસતીજીએ બંને સાધક બેલડીને શુભેચ્‍છા સાથે અભિનંદન પાઠવેલ હતા. આજે દીક્ષાજયંતિને અનુલક્ષીને સાંજે ૬ વાગ્‍યે સમુહ પ્રતિકરણ ᅠભાઇઓ-બહેનો માટે રાખવામાં આવેલ છે. આ પ્રસંગે આજે અશોકભાઇ દોશી, જયેશભાઇ માવાણી, ભુપેન્‍દ્રભાઇ મહેતા, પ્રદીપભાઇ માવાણી, જયેશભાઇ સંધાણી, નિલેશભાઇ શાહ, રમેશભાઇ દોશી, હિમાંશુભાઇ શાહ, જયભાઇ વોરા આદિ દિલાવર દાતાઓ, શ્રેઠીવર્યો એ હાજરી આપી પૂ. મહાસતીજીને શુભેચ્‍છા પાઠવી હતી.

આ પ્રસંગે સોનલ સેવા મંડળ, સોનલ સેવા ટીમે સેવા બજાવી હતી. આજનું વિતરણ યોગેશભાઇ મહેતાના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મૌલિકભાઇ દોશી, દિપકભાઇ પટેલ, મનોજભાઇ ડેલીવાળા, ડોલરભાઇ કોઠારી, ભરતભાઇ દોશી, મહાનુભાવોએ હાજર રહી પૂ. મહાસતીજીઓને શુભેચ્‍છા આપી હતી.

(3:47 pm IST)