Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ડો.અંબાદાનજી રોહડિયાનું સન્‍માન

રાજકોટ તા. ૧૩: હરજીવન આશ્રમ થિયોસોફિકલ સોસાયટી, કડોલી દ્વારા વ્‍યાખ્‍યાન યોજવામાં આવ્‍યું હતું. જેમાં ચારણી અને ગુજરાતી લોક સાહિત્‍યમાં થિયોસોફીનાં સ્‍પંદનો વિષય પર અતિથિ વક્‍તા ડા. અંબાદાનજી રોહડિયાએ મર્મપૂર્ણ અને મનનીય વ્‍યાખ્‍યાન આપ્‍યું હતું. તેમણે ઐતિહાસિક અને સાંપ્રત પરિપ્રેક્ષમાં અનેક ઉદાહરણ આપી આત્‍મચેતના જગાડવા પ્રશસ્‍ય પ્રયાસ કર્યો હતો. હરજીવન આશ્રમના પ્રમુખચંદુભાઈ પંડ્‍યા, ઉપપ્રમુખ શંકરભાઈ પટેલ, કાન્‍તિભાઈ પટેલ, વિજયભાઈ પંડ્‍યા, મંત્રી નરેન્‍દ્ર ડી. પટેલ તથા આમંત્રિત અતિથિઓમાં જે.ડી. પટેલ, પ્રમુખભાજપ, શ્રીમતી યતિનબેન મોદી, મેયરશ્રી, હિંમતનગર, સી.કે. સોની, મંત્રીશ્રી, ગુજરાત થિયોસોફ્‌કલ ફેડરેશનની હાજરી ખૂબ પ્રેરક બની રહી હતી. વિનાયકભાઈ મહેતા, સામાજિક કાર્યકર, હિતેશભાઈ પટેલ, આચાર્ય, ઉમેશ પંડ્‍યા, ભરત પટેલ, નટવરલાલ મોઢપટેલ, સોમાભાઈ પેઈન્‍ટર તથા મહિલા સત્‍સંગ પરિવાર સભ્‍યો - વિગેરે અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. હિંમતનગરથી શ્રીમતી પ્રીતિબેન અને પ્રશાંતભાઈ વ્‍યાસ પણ સહર્ષ હાજર રહ્યા હતા.ડો. અંબાદાન રોહડિયા રવિવારીય ટી.એસ. મિટીંગમાં પણ સહભાગિતા કરી હતી અને સભ્‍યોને સંબોધ્‍યા હતા. કાર્યક્રમનું સંચાલન દિપક પંડ્‍યા એ કરેલ હતું. આ તકે ડો. આંબાદાન રોહડીયાનું શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતું

(5:19 pm IST)