Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આનંદબંગલા ચોક અશોક ગાર્ડનમાંથી રાજુ રાઠોડનું બીમારીથી મોત

રાજકોટ,તા. ૧૩ : મવડી રોડ આનંદ બંગલા ચોક પાસે અશોક ગાર્ડનમાં બીમારીના લીધે એક યુવાનનું મોત નિપજ્‍યું હતું.

મળતી વિગત મુજબ આનંદબંગલા ચોક પાસે આવેલા અશોક ગાર્ડનમાં એક અજાણ્‍યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે મૃત્‍યુ નિપજ્‍યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ. રવિભાઇ વાઘેલા સહિતે સ્‍થળ પર પહોંચી યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. દરમ્‍યાન મૃતક યુવાનના બે મિત્રોએ આ યુવાનનું નામ રાજુ મનજીભાઇ રાઠોડ (ઉવ.૪૫) હોવાનું જણાવ્‍યું હતું. ઘણા સમયથી રખડતુ ભટકતુ જીવન ગાળતો હતો. તેનું ફેફસાની બીમારીના લીધે મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જાણવા મળ્‍યુ છે. જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો માલવીયાનગર પોલીસ સ્‍ટેશન ૦૨૮૧-૨૩૮૦૦૪૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(5:25 pm IST)