Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

આઇ કુવાવાળી ખોડીયાર મંદિરે બુધવારે મુર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ : શુક્રવારે માતાજીનો માંડવો

રાજકોટ તા. ૧૩ : આઇશ્રી કુવાવાળી ખોડીયાર માં - જય રામનાથ મહાદેવ મંદિર, લક્ષ્મીવાડી કવાટર્સ ખાતે મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ અને માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે આ મહોત્‍સવને લઇને આવતીકાલે તા. ૧૪ ના મંગળવારે સંતવાણી રાખેલ છે. જેમાં મયુર દવે અને વિરસિંહ રાઠોડ સંતવાણીના સુર રેલાવશે.

જયારે તા. ૧૫ ના બુધવારે સદ્દગુરૂદેવશ્રી રામપ્રસાદદાસજી બાપુની મુર્તિ પ્રતિષ્‍ઠાનો મહોત્‍સવ ઉજવાશે. આ નિમિતે બુધવારે બપોરે ૧૧.૩૦ વાગ્‍યે સંતોનો ભંડારો રાખેલ છે.

 જયારે તા. ૧૭ ના શુક્રવારે આઇશ્રી કુવાવાળી ખોડીયાર માતાજીનો ૨૪ કલાકનો નવરંગો મંડપ આયોજીત કરાયો છે. જેનું થાંભલી રોપણનું મુહુર્ત તા. ૧૭ ના શુક્રવારે સવારે પ.૧૫ કલાકનું છે. બપોરે ૧૧.૩૦ વાગ્‍યાથી ચોવીસ કલાક માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા છે. અંદાજે ૨૫ હજાર લોકો પ્રસાદ ગ્રહણ કરે તેવી વ્‍યવસ્‍થા કરાઇ છે. રાવળદેવ તરીકે ધર્મેશભાઇ રાવળ અને ભાવેશભાઇ રાવળ  માતાજીના ગુણગાન ગાશે.

રસોડાની તમામ સેવા માટે માટેલ મિત્ર મંડળ કોઠારીયાએ લાભ લીધો છે.

ધર્મપ્રેમીજનોએ આ રૂડા અવસરોનો લાભ લેવા મહંતશ્રી સ્‍વામિ સર્વેશ્વરાચાર્યજી મહારાજ ગુરૂ શ્રી આનંદભાષ્‍ય સિંહાસનાસીન જગદ્દગુરૂ શ્રી રામાનન્‍દાચાર્ય સ્‍વામી શ્રી રામાચાર્યજી પુજારી માનસદાસજીએ અનુરોધ કરેલ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મંડપ અને મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની  આયોજન સમિતિના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:59 pm IST)