Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

ધો.૧૦ના વિદ્યાર્થીઓ સાથે સાંઇરામની ગોષ્‍ઠી

વિદ્યાર્થીઓની કારકિર્દી માટે ધો.૧૦ ખુબ જ અગત્‍યનું છે. ત્‍યારે નચિકેતા સ્‍કુલીંગ સિસ્‍ટમના ફાઉન્‍ડર પ્રેસીડેન્‍ટ સાંઇરામ દવેએ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ સાથે ગોષ્‍ઠી કરી. વિદ્યાર્થીની સાથે વાલીઓને પણ પ્રોત્‍સાહન તથા માર્ગદર્શન મળી રહે તે માટે આત્‍મવિશ્વાસનો ઓટોગ્રાફ મોટીવેશનલ કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ. પરીક્ષા દરમિયાન વાલી તથા વિદ્યાર્થીઓમાં આત્‍મવિશ્વાસ વધે અને બાળકો નાસીપાસ ના થાય તેવા અનેક ઉદાહરણો તેઓએ રજુ કરેલ. આ તકે વિદ્યાર્થીઓએ પણ આ વાતોને સ્‍વીકારી હંમેશા હકારાત્‍મક રહેવાનું સ્‍વીકાર્યુ.

(4:00 pm IST)