Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

વેજાગામ વાજડીના સગર્ભા જાગૃતિબેન કાઠીયાનું છાતીમાં દુઃખાવા બાદ મોત

રૈયાના તેજસભાઇ સાપરમાનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૩: વેજાગામ વાજડી ખાતે રહેતાં જાગૃતિબેન રામજીભાઇ કાઠીયા (ઉ.વ.૨૮) વહેલી સવારે ઘરે હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તેણી સગર્ભા હોઇ ગાયનેક વિભાગમાં દાખલ કરાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું.

મૃત્‍યુ પામનારના પતિ છુટક મજૂરી કરે છે. તેણીના માવતર રાજનગરમાં રહે છે. જાગૃતિબેન સગર્ભા હોઇ અને પુરા મહિના હોઇ પરિવારજનો નવા સભ્‍યના આગમનની રાહમાં હતાં. પરંતુ હાર્ટએટેક આવતાં માતા સાથે આવનાર બાળકનું પણ મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

બીજા બનાવમાં રૈયા ગામમાં રહેતાં અને ઇંટોના ભઠ્ઠામાં મજુરી કરતાં તેજસભાઇ જગદીશભાઇ સાપરા (ઉ.વ.૩૫)ને કમળો થઇ જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજયુ હતું. મૃતક બે ભાઇમાં નાનો હતો અને રિક્ષા ચલાવતો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને મનિષભાઇએ યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(4:14 pm IST)