Gujarati News

Gujarati News

News of Monday, 13th March 2023

નિર્ભય બની સચોટ ઉતરો લખી સફળ થવા રાજુ જુંજાની બોર્ડના પરીક્ષાર્થીઓને શુભેચ્‍છા

રાજકોટ તા. ૧૩ : આવતીકાલથી ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઇ રહી છે. ત્‍યારે તમામ વિદ્યાર્થી ભાઇ બહેનો હળવા થઇ શાંતચિત્તે અને નિર્ભય બનીને પરીક્ષા આપે અને ખુબ સારા માર્કસ સાથે ઉતીર્ણ થાય તેવી શુભેચ્‍છા સામાજીક અગ્રણી અને રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના ડીરેકટર રાજુભાઇ જુંજાએ પાઠવી છે.તેઓએ જણાવ્‍યુ છે કે હાલ ટ્રાફીક સમસ્‍યા પેચીદો પ્રશ્‍ન છે. જેથી વિદ્યાર્થી ભાઇ બહેનોએ નિરધારીત સમયથી વહેલા જ ઘરેની નિકળી જવુ હિતાવહ રહેશે. શિક્ષકોના માર્ગદર્શન અને વાલીઓના આશીર્વાદ સાથે સમજી વિચારી સચોટ ઉત્તરો લખી કારકીર્દી ઉજાળવાની શુભેચ્‍છા અંતમાં રાજુભાઇએ આપી છે.

(5:09 pm IST)