Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

વૃંદાવન ક્રેડીટ સોસાયટીને આપેલ ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

આરોપી બે લાખનું વળતર ન ચુકવે તો વધુ છ માસની સજા

રાજકોટ, તા., ૧૩: રાજકોટની જાણીતી શ્રી વૃંદાવન ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના સભાસદ હસીનાબેન હબીબભાઇ પઠાણએ લીધેલ લોનની બાકી રકમ ચુકવવા આપેલ ચેક વગર વસુલાતે પરત ફરતા આવા સભાસદ સામે રાજકોટની કોર્ટમાં કેસ ચાલતા ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફોજદારી ફરીયાદમાં રાજકોટના નામદાર મેજીસ્ટ્રેટ શ્રી એન.એચ.વસવેલીયા સાહેબએ મંડળીના સભાસદ હસીનાબેન હબીબભાઇ પઠાણને એક (૧) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ર,૦૦,૦૦૦નો વળતર પેટે દિન-૬૦માં ચુકવવાના. જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ (૬) માસની સાદી કેસની સજાનો હુકમ કરતા મંડળીના બાકીદારોમાં ફફડાટ મચી ગયેલ છે.

આ કિસ્સાની ટુંકમાં વિગત એવી છે કે હસીનાબેન હમીબભાઇ પઠાણ રહે. બે માળીયા એલઆઇજીઇ કવાર્ટર નં. ૩૦૯, ગુજરાત હાઉસીંગ બોર્ડ, બ્લોક નં. એલ-૧૧૮ર, રિધ્ધી સીધ્ધી સોસાયટી ડેરીલેન્ડ દુધની ડેરી પાસે રાજકોટની શ્રી વૃંદાવન ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ના સભાસદ દરજ્જે લોન લીધેલ. સદરહુ લોનની બાકી રકમ પેટે ચુકવવા  હસીનાબેન હબીબભાઇ પઠાણએ રાજકોટની શ્રી વંૃદાવન ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી.ને રૂ. ર,૪૦,૦૦૦નો ચેક આપેલ. જે ચેક પરત ફરતા મંડળીએ તેમના એડવોકેટ મારફતે હસીનાબેન હબીબભાઇ પઠાણ વિરૂધ્ધ ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ મુજબ ધોરણસરની ફોજદારી ફરીયાદ દાખલ કરેલ.

ત્યાર બાદ સદરહું કેસ રાજકોટના ચીફ જયુડી મેજી. શ્રી એન.એચ.વસવેલીયાની કોર્ટમાં ચાલતા આ કામના ફરીયાદી મંડળી વતી રાજકોટના એડવોકેટ ભુપેન્દ્ર ટી.ગોહેલે દલીલ કરેલ તેમજ દલીલના સમર્થનમાં નામદાર સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના અલગ-અલગ ચુકાદાઓ પર આધાર રાખેલ તથા આરોપીએ ફરીયાદી મંડળીમાંથી લોન લીધેલ હોવાની હકીકત તથા કાયદેસરના લેણાની જવાબદારી પેટે આરોપીએ ચેક આપેલ હોવાની હકીકત સાબીત થતી હોય આરોપીને સજા કરવાની રજુઆત કરેલ હતી.

ઉપરોકત દલીલો તથા સુપ્રીમ કોર્ટ-હાઇકોર્ટના અલગ-અલગ ચુકાદાઓ તેમજ કેસની હકીકતો ધ્યાને લઇ રાજકોટના મેજીસ્ટ્રેટ શ્રી એન.એચ.વસવેલીયાએ ચુકાદો આપી આરોપી હસીનાબેન હબીબભાઇ પઠાણને દોષીત ઠરાવી એક(૧) વર્ષની સાદી કેદની સજા તથા રૂ. ર,૦૦,૦૦૦ નોો  વળતર પેટે દિન-૬૦માં ચુકવવાના. જો વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ (૬) માસની સાદી કેસની સજાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી વતી શ્રી વૃંદાવન ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી લી. વતી રાજકોટના એડવોકેટશ્રી તનસુખભાઇ બી.ગોહેલ, હીરેન્દ્ર જે મકવાણા, ભુપેન્દ્ર ટી.ગોહેલ અને ચેતત વી.રજવાડીયા  રોકાયેલા હતા.

(3:15 pm IST)