Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

રાજકોટ ભૂપેન્દ્ર રોડ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખુલ્લુ મુકતા કોઠારી રાધારમણ સ્વામી

સરકારની માર્ગદર્શિકા મુજબ માસ્ક-સેનેટાઇઝનો ઉપયોગ કરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અપીલ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૩ : રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે આજે સવારે ૮ કલાકે કોઠારી રાધારમણ સ્વામી દ્વારા ખુલ્લા મૂકાયા છે.

શ્રી રાધારમણ સ્વામીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાને કારણે રાધારમણ સ્વામી પોતે તેમજ અન્ય સંતો અને સ્ટાફ સંક્રમિત થયેલ જે સંપૂર્ણ સ્વસ્થ થઇ જતાં આજથી દર્શનાર્થીઓ માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકવામાં આવેલ છે.

જેમાં દરરોજ સવારે ૮થી ૧૦ અને સાંજે ૪ થી ૬ સૌ ભાવિકો દર્શનનો લાભ લઇ શકશે,

પરંતુ વર્તમાન કોરોનાની મહામારીને લઇને સરકારની માર્ગદર્શિકાનું અચુકપણે પાલન કરવા અને માસ્ક પહેરી સેનેટાઇઝ થઇ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી દર્શનનો લાભ લેવા અંતમાં રાધારમણ સ્વામીએ અપીલ કરેલ છે.

(12:40 pm IST)