Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સ્વ. રમેશસિંહ જાદવની સ્મૃતિમાં કરણી સેના દ્વારા રકતદાન કેમ્પ

રાજકોટ : ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાન અને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શહેર ઉપાધ્યક્ષ સ્વ. રમેશસિંહજી લાખાજી જાદવની પ્રથમ માસિક પૂણ્યતીથીએ અતિથિ પાર્ટી પલોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં જાદવ પરિવાર તેમજ મિત્ર સર્કલ અને કરણી સેનાના સભ્યોએ બહોળી સંખ્યામાં રકતદાન કર્યુ હતુ. કેમ્પના દીપ પ્રાગટય સમયે રામસિંહજી શેખવાત સુદરાસન, માવજીભાઇ ડોડીયા, જીણાભા ચાવડા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, કિશોરસિંહજી રાઠોડ, અજયસિંહ પરમાર, ભરતસિંહ ગોહિલ, ધીરૂભા ડોડીયા, પી.એસ.આઇ. પરેશસિંહ જાદવ, પી.એસ.આઇ. આકાશસિંહ સિંધવ, રમેશસિંહ ચાવડા, સંદીપસિંહ ડોડીયા, નરેન્દ્રસિંહ ચાવડા, સોનાલી બાઇસા શેખાવત તેમજ ક્ષત્રિય રાજપુત સમાજના ભાઇ બહેનો અને સર્વે સંસ્થાના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(2:38 pm IST)