Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

પુનિતનગરનો હિતેષગીરી ગોસ્વામી ઉંદર મારવાની દવા પી ગયો

પ્રેમપ્રકરણનો મામલોઃ પૈસા મંગાતા હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩: ગોંડલ રોડ પુનિતનગર ચોકડી પાસે રહેતો અને ઘરઘંટીના કારખાનામાં કામ કરતો હિતેષગીરી વિષ્ણુગીરી ગોસ્વામી (ઉ.વ.૨૦) ઉંદર મારવાની દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

હિતેષગીરીના કહેવા મુજબ તેને એક છોકરી સાથે પ્રેમ હતો અને દોઢેક મહિના પહેલા તેણીને પોતાની ઘરે લાવ્યો હતો અને સાથે રાખી હતી. એ પછી તેના પરિવારજનો લઇ ગયા હતાં. હવે સમાધાન પેટે એ લોકો પૈસા માંગતા હોઇ પોતે કંટાળી જતાં આ પગલુ ભર્યુ હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

ભવાનીનગરના રમેશભાઇનું બેભાન હાલતમાં મોત

રામનાથપરા ભવાનીનગર-૪માં રહેતાં રમેશભાઇ નાનજીભાઇ બારધીયા (ઉ.વ.૪૦) કેન્સરની બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકને એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(2:56 pm IST)