Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

સંક્રાંતિ પર્વની શાંતિથી ઉજવણી: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી.કે. દીયોરા અને ટીમોનું પેટ્રોલિંગ: શહેરીજનોએ ડીજે બંધ રાખી સહકાર આપ્યો: કાલથી લગ્ન સમારંભો શરૂ થશે તેમાં નિયમોનું પાલન કરવા સીપી મનોજ અગ્રવાલનો અનુરોધ

જકોટ: શહેરમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ડીસીપી શ્રી માનોહરસિંહ જાડેજા તથા એસીપી પી.કે. દીયોરા તથા શહેર પોલીસના અધિકારીઓ કર્મીઓ દ્વારા દરેક વિસ્તારમાં સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તમામ લોકોએ પોલીસને સાથ આપી સ્વેચ્છાએ ડીજે બંધ રાખી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હોવાનું તપાસમાં જણાયું છે. પોલીસ કમિશ્નર શ્રી એ લોકોને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી છે સાથે જ આવતી કાલથી કમુહૂરતા ઉતરતા હોઈ લગ્નગાળો શરૂ થશે તેમાં 150 વ્યક્તિને જ મંજૂરી હોઈ નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

(3:21 pm IST)