Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુવર્ણકારોની દુકાનોનો વેરો પણ માફ કરો : સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ

રાજકોટ તા. ૧૪ : કોરોના મહામારી ધ્યાને લઇ સરકારે હોટલ રેસ્ટોરન્ટને વેરા માફ કરી દીધા છે. ત્યારે આ મહામારીમાં મોટી નુકશાની સહન કરનાર સુવર્ણકારોને પણ વેરા માફી આપવા સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના પ્રમુખ જીજ્ઞેશ વાગડીયાએ માંગણી ઉઠાવી છે.

તેઓએ જણાવ્યુ છે કે કોરોના કાળમાં ગુજરાત સુવર્ણકાર કારીગરોની આશરે બે લાખ જેટલી દુકાનો બંધ રહી હતી. છેલ્લા સવા વર્ષથી સુવર્ણકાર કારીગરો પાસે કામકાજ રહ્યુ નથી. કારીગરોની હાલત દયનીય છે. ત્યારે નાના કારીગરોની વેદના સમજી તેમની દુકાનોનો વેરો માફ કરી દેવા સંવેદનશીલ મુખ્યમંત્રી આગળ આવે તેવી માંગણી સુવર્ણકારીગરો વતી જીજ્ઞેશ વાગડીયા (મો.૯૭૨૩૩ ૯૦૯૦૯) એ ઉઠાવી છે.

(3:47 pm IST)