Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ખોડિયારનગરમાં શરદી-ઉધરસ થયા બાદ ૩ વર્ષની પૂનમનું મોત

રાજકોટ તા. ૧૪: એંસી ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરા પાસે ખોડિયારનગરમાં રહેતાં મુળ એમપીના રાહુલ અહેરવાલની પુત્રી પૂનમ (ઉ.૩)ને કેટલાક દિવસથી શરદી ઉધરસ થયા હોઇ ગઇકાલે સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર પાંચ બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા કડીયા કામની મજૂરી કરે છે.

 

(10:58 am IST)