Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

પૂ. ભદ્રાબાઇ મહાસતીજીની સ્‍મૃતિ તકતીનું અનાવરણ

શ્રી રોયલ પાર્ક સ્‍થા. જૈન મોટા સંઘ-સી.એમ. શેઠ પૌષધશાળાના પ્રાંગણે અખંડ સેવાભાવી

રાજકોટ તા. ૧૪: ગુજરાતરત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા. એવમ વિશાળ સંખ્‍યામાં સૌરાષ્‍ટ્રકેસરી પૂ. પ્રાણ પરિવારના ર૭ પૂ. મહાસતીજીઓની નિશ્રામાં શ્રી રોયલ પાર્ક સ્‍થા. જૈન મોટા સંઘના આંગણે શ્રી રોયલપાર્ક સ્‍થા. જૈન મોટા સંઘમાં કાળધર્મ પામેલ અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઇ મહાસતીજીની તકતીના અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ ઉપસ્‍થિત રહેલ હતા.

વૈયાવચ્‍ચ માટે શિલાલેખનું અનાવરણ દાતા પરિવાર તેમજ ડે. મેયર ડો. શ્રી દર્શિતાબેન શાહ એવમ સંઘપ્રમુખ ચંદ્રકાંતભાઇ શેઠ તથા પ્રવિણભાઇ કોઠારી એવમ સંઘોના દરેક પ્રમુખોના હસ્‍તે કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ગુજરાતરત્‍ન પૂ. શ્રી સુશાંતમુનિ મ.સા. એ મંગલાચરણ કરેલ હતું અને આશિર્વચન ફરમાવેલ હતું. તપસમ્રાટ એવમ પૂ. સાહેબજીના સુશિષ્‍યા અખંડ સેવાભાવી પૂ. ભદ્રાબાઇ મહાસતીજીના શિષ્‍યાઓ સાધ્‍વીરત્‍ના પૂ. હસ્‍મિતાબાઇ મ. તેમજ સાધ્‍વીરત્‍ના પૂ. અજીતાબાઇ મ. એ તેમની રોયલપાર્ક ખાતેની અંતિમ સ્‍મૃતિઓને યાદ કરી ભાવાંજલિ સાથે તેમની શાસન અને સંપ્રદાય પ્રત્‍યેની અતુટ ભાવના અને સંપ્રદાય માટેનું અનેરૂ સંકલનની પ્રશંસા કરેલ હતી તેમની વૈયાવચ્‍ચ-શિક્ષણ માટેની સ્‍મૃતિના તકતીના અનાવરણથી ભવિષ્‍યમાં અનેક આત્‍માઓને શાસન પ્રેરણા મળી રહેશે તેવી પ્રાર્થના કરેલ હતી.

રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તિ ડો. પૂ. ડોલરબાઇ મહાસતીજીએ પૂ. મહાસતીજીની શાસન પ્રત્‍યેની અનેરી સેવાને બિરદાવી હતી અને ૧ર-૧ર આત્‍માઓને સંથારાના પચ્‍ચકાણ આપી જે અનેરી અનુમોદના કરેલ હતી તેની ભાવાંજલિ આપી હતી. તપસ્‍વી પૂ. વનિતાબાઇ મ.એ તેમની સાથે કરેલ સામુહિક ચાતુર્માસની અનેરી પળોને યાદ કરી તેમની આંતરીક સુજબુજના વખાણ કરેલ હતા અને સર્વે પૂ. સાધુ-સંતો વચ્‍ચે સંકલન કરવાની તેમની એકતાભરી ભાવના હતી તે તેમની અનોખી સિધ્‍ધી હતી.

ગોંડલ સંપ્રદાય વતી પ્રવિણભાઇ કોઠારી અને ચંદ્રકાંતભાઇ શેઠ એ તેમના અને પૂ. સાહેબજીના આશિર્વાદ અને પ્રેરણાથી પ હજાર બહેનો જેમાં સક્રિય છે તેવું ડુંગર હિર મહા-મહિલા મંડળની સી.એમ. શેમઠના નિવાસસ્‍થાન અર્હમ પેલેસમાં સ્‍થાપના કરવામાં આવેલ હતી તેની સ્‍મૃતિ તાજી કરેલ હતી. ભારતભરની અંદર આ ડુંગર હિર મહા મહિલા મંડળના બહેનો અનેક ધાર્મિક અને સામાજીક પ્રવૃતિઓ કરી રહ્યા છે જે ગોંડલ સંપ્રદાય માટે ગૌરવભરી વાત છે.

કાર્યક્રમનું સંચાલન વિણાબેન શેઠ એ કરેલ હતું. આભારવિધિ અને અન્‍ય જાહેરાતો બિપીનભાઇ પારેખએ કરેલ હતું. સાધ્‍વીરત્‍ના પૂ. રૂપાબાઇ મ. એ તેમને યાદ કરતું સ્‍તવન ગાય ને ભાવાંજલિ અર્પણ કરેલ હતી તેમજ ડુંગર હિર મહા-મહિલા મંડળના બહેનો તેમની યાદમાં કૃતિઓ રજુ કરેલ હતી.

(4:22 pm IST)