Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સુખસાગર સોસાયટીમાં બેભાન થયા બાદ સરોજબેન ગોરીનું મોત

નારાયણનગરમાં તબીયત લથડતા ભાનુબેન દેવડીયાનું મોત

રાજકોટ,તા.૧૪ : ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં રહેતી મહિલા બેભાન થયા બાદ તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

મળતી વિગત મુજબ સુખસાગર સોસાયટીમાં રહેતા  અને જનાના હોસ્પિટલમાં આયા તરીકે નોકરી કરતા સરોજબેન લાલજીભાઇ ગોરી (ઉવ.૫૭) ગઇકાલે પોતાના ઘરે જમતા હતા. ત્યારે અચાનક બેભાન થઇ જતા તેને સારવાર માટે ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. મૃતક સરોજબેનને સંતાનમાં બે પુત્રી છે. આ બાવ અંગે બી ડીવીઝન પોલીસે કાર્યવાહી કીર હતી.

જ્યારે બજા બનાવમાં નારાયણનગરમાં રહેતા ભાનુબેન દીલીપભાઇ દેવળીયા (ઉવ.૫૦) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તબીયત લથડતા તેને સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ ધીરૂભાઇ પરમારે કાર્યવાહી કરી હતી.

(2:38 pm IST)