Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

લાપાસરીના આશ્રમમાં કફ દૂર કરવા જડીબુટી પીધા બાદ મહંતની હાલત બગડી

બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રખાયા

રાજકોટ તા. ૧૫: લાપાસરીમાં આવેલા બાબા બાળકનાથ આશ્રમ અને ગોૈશાળામાં રહેતાં મહંત યોગી સિમરનનાથ ગુરૂછીપરાનાથ સાધુ (ઉ.વ.૪૫)એ કોઇ જડીબુટી લીધા બાદ હાલત બગડી જતાં અને બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

જાણવા મળ્યા મુજબ લાપાસરી આશ્રમમાં સેવક તરીકે રહેતાં મહંત યોગી શિમરનનાથે તા. ૧૩/૬ના રોજ કફ થઇ ગયો હોઇ તે દૂર કરવા કોઇ જડીબુટી કે વનસ્પતિ ખાઇ લેતાં તેની હાલત બગડી ગઇ હતી અને બેભાન થઇ જતાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતાં તબિબે એમએલસી કેસ જાહેર કરી પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં હેડકોન્સ. સવજીભાઇ બાલાસરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મહંત યોગી સિમરનનાથ મુળ રાજકોટના વતની છે. પાંચેક વર્ષ તેઓ મોરબી રહી સેવાપુજા કરતાં હતાં. હાલમાં આઠેક મહિનાથી ગુરૂ તરીકે મહંત છીપરાનાથને ધારણ કરી લાપાસરી આશ્રમમાં રહે છે.

(10:26 am IST)