Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

બીલેશ્વર પાસે ટ્રેન હેઠળ કપાઇને નવા થોરાળાના બચુભાઇ વાઘેલાનો આપઘાત

વૃદ્ધે માનસીક બીમારીના લીધે પગલું ભર્યું

રાજકોટ તા.૧પ : શહેરના બીલેશ્વર રેલવે સ્ટેશન પાસે માનસીક બીમારીથી કંટાળી નવાથોરાળાના વૃદ્ધે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ નવાથોરાળા શેરીનં.૭માં રહેતા બચુભાઇ માવજીભાઇ વાઘેલા (ઉ.૬ર) ગઇકાલે પોતાનું લ્યુના મોપેડ લઇને ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયા બાદ બીલેશ્વર રેલવે સ્ટેશન નજીક માલગાડી હેઠળ ઝપલાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે રેલવે પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ચીમનલાલભાઇએ જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ બી.બી.કોડીયાતર તથા રાઇટર કેતનભાઇ પટેલે સ્થળ પર પહોંચી તપાસ હાથધરી હતી. મૃતક બચુભાઇ છેલ્લા ઘણા સમયથી માનસીક બીમારીથી પીડાતા હોઇ તેથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.

(3:01 pm IST)