Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

સોમેશ્વર યુવક મંડળ દ્વારા નેમિનાથ વિતરણ સોસાયટીમાં ગણેશોત્સવ

રાજકોટ : શ્રી સોમેશ્વર યુવક મંડળ દ્વારા શ્રી નેમિનાથ વિતરણ સોસાયટી, નાણાવટી ચોક પાસે, ગાંધીગ્રામ ખાતે સતત ૧૩ માં વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરાયેલ છે. તા. ૧૦ થી ૧૯ સુધી દરરોજ સવારે તથા રાત્રે ૮ વાગ્યે મહાઆરતી અને પ્રસાદ વિતરણ થાય છે. રાત્રે ૯:૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. મંડળ દ્વારા નિહારનો સામાન અને સીડી વિનામૂલ્યે આપવા સહિતની સેવા પ્રવૃતિ કાયમી ધોરણે ચાલુ છે. વધુ માહિતી માટે મો. ૯૮૨૪૨ ૦૦૨૧૧ અથવા ૯૨૨૮૭ ૦૭૦૫૪ ઉપર સંપર્ક સાધવો તેમ કિશન નથવાણીની યાદી જણાવે છે. 

(3:30 pm IST)