Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

ચારણ સમાજના ર યુવાનોના મોતની ઘટનામાં પિડીતોને વળતર આપોઃ ચારણ-ગઢવી મહિલા મહાસભા દ્વારા કલેકટરને રજુઆત

રાજકોટ : પોલીસ તંત્રના અત્યાચારથી પંચમહાલના સમાઘોધાના ચારણ સમાજના બે યુવાનોના મોત થયાના આક્ષેપો સાથે અખિલ ભારતીય ચારણ-ગઢવી મહિલા મહાસભાના હોદ્દેદારો જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ કિસ્સામાં પિડીતોના પરિવારોને આર્થિક વળતર આપવા અને આ પ્રકરણમાં જવાબદારો સામે વિષેશ પગલા લેવા માંગ ઉઠાવી હતી તે વખતની તસ્વીરમાં પારૂલબા ગઢવી , રૂપલબા ગઢવી, જયોતિબા ગઢવી, વગેરે મહિલા હોદ્ેદારો દર્શાય છે આ તકે સંસ્થાની યાદીમાં જણાવાયું છે કે આ દુર્ભાગ્ય પુર્ણ ઘટનાને તમામ સમાજોએ વખોડી કાઢી છે. અને અખિલ ભારતીય ચારણ-ગઢવી મહિલા મહાસભાએ શ્રદ્ધાંજલી સભા યોજી, મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી હતી તેમજ આવી અત્યાચારી ઘટનાઓમાં પોલીસ દ્વારા જો કોઇ કડક કાર્યવાહી નહી થાય તો સુરક્ષા તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે જે કયારે ફરી સંપાદન નહી કરી શકાય.

(3:10 pm IST)