Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સિવિલ કોવિડમાં મૃત્યુ પામનાર વૃધ્ધાના સ્વજનો મળતાં નથી

તસ્વીરમાં દેખાતા મૃતકના સગા સંબંધી હોય તો તુરંત સંપર્ક કરે

રાજકોટ તા. ૧૬: સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં દાખલ થયેલા એક મહિલાનું ૧૩/૪ રાત્રે મૃત્યુ થયું છે. પરંતુ તેમના સગા સંબંધીનો સંપર્ક થઇ શકતો નથી. હોસ્પિટલ તંત્રવાહકો કેસ પેપરમાં લખાવાયેલા ફોન નંબર પર સંપર્ક કરે છે પરંતુ કોન્ટેકટ થતો નથી. આ મહિલા દર્દીનું નામ મોનીકાબેન અમૃતલાલ ખખ્ખર કેસમાં લખાવાયું છે અને ઉમર ૭૮ વર્ષ છે. સગા મળતાં ન હોવાથી અંતિમવિધી અટકી પડી છે. તસ્વીરમાં દેખાતાં વૃધ્ધાના સગા હોય તો સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં તુરંત સંપર્ક કરવા આરએમઓ ડો. એમ. સી. ચાવડાએ જણાવ્યું છે.

(1:01 pm IST)