Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

થાનમાં મકાન વેંચવા મામલે ડખ્‍ખો કરી શામજીભાઇને પુત્રએ ફટકાર્યા

રાજકોટ તા. ૧૬: થાનગઢમાં રહેતાં અને ખેત મજૂરી કરતાં શામજીભાઇ નાનજીભાઇ ઉકેડીયા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધને તેના પુત્ર મહેશે લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટમલાં ખસેડવામાં આવ્‍યા હતાં. શામજીભાઇને બે પુત્ર અને બે પુત્રી છે. નાના પુત્ર મહેશે મકાન વેંચવાની વાત કરી ઝઘડો કરતાં શામજીભાઇએ તેને મકાન વેંચવાની ના પાડતાં તેણે ઝઘડો કરી હુમલો કર્યાનું જણાવાયું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)