Gujarati News

Gujarati News

News of Wednesday, 16th November 2022

ઉદયભાઈ કાનગડ સહિતના ભાજપ ઉમેદવારોની જીત નિヘતિ છે : મોહનભાઈ

મારા કરતા પણ વધુ લીડથી ઉદયભાઈ કાનગડને જીતાડવાની જવાબદારી આપણા સૌની છે : અરવિંદભાઈ રૈયાણી * રાજકોટ ૬૮ પૂર્વ મધ્‍યસ્‍થ કાર્યાલય શરૂ : રાજનીતિમાં જનસેવા એ જ મારૂ ધ્‍યેય, વિધાનસભા ૬૮ ના સંપૂર્ણ - સર્વાંગી વિકાસ એ જ મારી પહેલી પ્રાથમિકતા : ઉદયભાઇ કાનગડ

રાજકોટ : ભાજપના કાર્યકરોથી લઈ અગ્રણીઓ, નાગરીકો અને સાધુ સંતોની પ્રેરક ઉપસ્‍થિતિમાં રાજકોટ વિધાનસભા ૬૮- પૂર્વ રાજકોટના ઉમેદવાર ઉદવભાઈ કાનગડના મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો ધારાસભ્‍ય અરવિંદભાઈ રૈયાણીના હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો હતો. આ અવસરે વિધાનસભા ૬૮ના વર્તમાન ધારાસભ્‍ય અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્‍યુ હતું કે ભારતીય જનતા પાર્ટીએ વિચારધારા આધારીત પક્ષ છે. ભાજપમાં વિચારધારા મુખ્‍ય છે અને વ્‍યકિત ગૌણ છે. ગત ટર્મમાં ધારાસભ્‍ય તરીકે કામ કરવાની જવાબદારી મારી હતી. હવે જયારે પક્ષ દ્વારા આ જવાબદારી ઉદયભાઈ કાનગડને સોંપવામાં આવી છે ત્‍યારે આપણા સૌની એ જવાબદારી બને છે કે આગામી ૧ ડિસેમ્‍બરે યોજાનાર મતદાનમાં આપણે ઉદયભાઈની તરફેણમાં જંગી મતદાન કરાવીશુ અને ખુદ અરવિંદભાઈ રૈયાણી કરતા વધારે લીડથી ઉદયભાઈને જીતાડી દઈશુ. ઉદય કાનગડ મારા મોટાભાઈ સમાન છે અને ઉપલા કાંઠાના વિકાસ કાર્યોને તેઓ મહત્તમ વેગ આપશે તે નિヘતિ છે.

આ વેળાએ સાંસદ મોહનભાઈ કુંડારીયાએ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્‍યુ હતું કે ઉદયભાઈ કાનગડ પાર્ટીના વફાદાર સૈનિક રહ્યા છે ત્‍યારે તેઓને આપણે હવે આગામી ધારાસભામાં ચૂંટીને મોકલવાના છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ડો.ભરત બોઘરાએ રાજકોટ શહેરમાંથી ચારેય કમળ ચૂંટીને મોકલવાના છે તથા તેમાં ખાસ ઉદયભાઈ કાનગડને આપણે સૌથી વધુ લીડથી જીતાડવાના છે તેવુ આહવાન ઉપસ્‍થિત કાર્યકરો સમક્ષ કર્યુ હતું. રાજકોટ શહેર ભાજપના અગ્રણી કિશોરભાઈ રાઠોડે જણાવ્‍યુ હતું કે રાજકોટ શહેરનું સંગઠન યુવા અને પ્રભાવશાળી ઉમેદવાર ઉદય કાનગડની સાથે છે અને ઉદયભાઈની જીત નિヘતિ છે.

આ તકે રાજકોટ શહેર બિલ્‍ડર એસોસીએશનના પ્રમુખ અને સરદારધામના અગ્રણી એવા પાટીદાર આગેવાન પરેશભાઈ ગજેરાએ ઉપસ્‍થિત કાર્યકરોને સંબોધન કરતા કહ્યું હતું કે ઉપલો કાંઠાનો ભાજપના શાસનમાં ખૂબ વિકાસ થયો છે. હાલ ઉપલો કાંઠો યુકે તરીકે ઓળખાવા લાગ્‍યો છે. ત્‍યારે આગામી સમયમાં તેનો વધુમાં વધુ વિકાસ કરવા માટે ઉદયભાઈ કાનગડ સક્ષમ છે. પાટીદાર સમાજ સહિત સર્વે સમાજનું ઉદયભાઈ કાનગડને સંપૂર્ણ સમર્થન છે અને તેમની જીતને કોઈ રોકી શકે તેમ નથી. આ તકે ૬૮ પૂર્વ રાજકોટ વિધાનસભા બેઠકના યશસ્‍વી ઉમેદવાર ઉદયભાઈ કાનગડે જણાવ્‍યુ હતું કે વડાપ્રધાન શ્રી મોદી, મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને પાર્ટી અધ્‍યક્ષ સી.આર. પાટીલ દ્વારા મારામાં વિશ્વાસ મૂકીને મને ૬૮ પૂર્વ બેઠકના ઉમેદવાર તરીકે ઘોષીત કરેલ છે તે દર્શાવે છે કે ભાજપમાં નાનામાં નાના કાર્યકરનું સન્‍માન કરવામાં આવે છે. રાજકોટના ઉપલા કાંઠે અરવિંદભાઈ રૈયાણીએ જે વિકાસ કાર્યો કરેલા છે તેમને વધુમાં વધુ આગળ વધારવાની હું આ તકે બાહેધરી આપુ છું. અને સાથે સાથે તમામ મતદારોને એ વિશ્વાસ આપુ છું કે અડધી રાતે પણ તમે મને કોઈપણ કામ સબબ યાદ કરશો તો હું તમારા કામ માટે કાયમ તત્‍પર રહીશ. રાજનીતિમાં જનસેવા એ જ મારૂ ધ્‍યેય છે. ઈશ્વરે મને તમામ પ્રકારની સુખ સંપતિ આપ્‍યા છે. રાજકોટ વિધાનસભા પૂર્વ મની સુખ - સુવિધા અને સર્વાંગી વિકાસ જ મારી પ્રાથમિકતા રહેશે. ત્‍યારે હવે આગળના દિવસોમાં લોકોની સેવા કરી હું તેનો બદલો ચૂકવવા માગુ છું.

 ૬૮ પૂર્વ રાજકોટ વિધાનસભા બેઠકના ઉમેદવાર ઉદયભાઈ કાનગડના મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિધાનસભા ૬૮ના ભાજપના ઉમેદવાર ઉદયભાઈ કાનગડ, પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ બિલ્‍ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા, ચેમ્‍બરના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવ, સંતો, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ધારાસભ્‍ય ટપુભાઈ લંબાસીયા, ખીમાભાઈ ટીડાભાઈ મકવાણા, સામાજીક અગ્રણીઓ, વોર્ડ નં. ૪,૫,૬,૧૬ના ભાજપના પદાધિકારીઓ દિપકભાઈ પનારા, રમેશભાઈ અકબરી, રમેશભાઈ પરમાર, જીણાભાઈ, અશ્વિનભાઈ મોલીયા, સી.ટી. પટેલ, દિનેશ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, હિતેશભાઈ ધિયાળ, મુકેશ ધનસોતા, દિનેશ ડાંગર, ઘનશ્‍યામભાઈ કુંગશીયા, દુષ્‍યંત સપટ, રત્‍નાભાઈ રબારી, વીરમભાઈ રબારી, સોમભાઈ ભાલીયા, મહેશભાઈ બથાર, રત્‍નાભાઈ મોરી, ભાર્ગવ મિયાત્રા, જીતુભાઈ સીસોદીયા, જતીન પટલ, કોર્પોરેટરો કંકુબેન ઉધરેજા, નયનાબેન પેઢડીયા, કોમલબેન ખીરા, પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, વજીબેન ગોલતર, રસીલાબેન સાકરીયા, હાર્દિકભાઈ ગોહેલ, દીલીપભાઈ લુણાગરીયા, દેવુબેન જાદવ, મંજુબેન કુગશીયા, પરેશભાઈ પીપળીયા, ભાવેશભાઈ દેથરીયા, કંચનબેન સિદ્ધપુરા, રૂચીતાબેન જોષી, સુરેશભાઈ વસોયા, નરેન્‍દ્રભાઈ ડવ, જયંતિભાઈ ધાંધલ, દિલીપભાઈ બોરીચા, ભાવેશભાઈ, ઘનશ્‍યામભાઈ વાંક, મહેશભાઈ, રમેશભાઈ સાગઠીયા, દેવરાજ બાપા સખીયા, સંજયભાઇ ઉધરેજા, નયનાબેન સોલંકી, નવીનભાઈ કાનગડ, રવિભાઈ, રીટાબેન વડેચા, મયુરભાઈ, મુકેશભાઈ પંચાલ, ધીરૂભાઈ પીપળીયા, વિક્રમ ડાંગર, હિતેશભાઈ મડીયા, કાનાભાઈ ડેડૈયા, નિલેશભાઈ જલુ, સોનલબેન સાકરીયા, રાજેશ્રીબેન પટેલ, જેસીંગભાઈ ચૌહાણ, ચંદુભાઈ ભંડેરી, સુરેશભાઈ બાવલીયા, પરેશભાઈ લીંબાસીયા, રામદેવભાઈ ભેસબરીયા, જનકભાઇ કુંગશીયા, મોન્‍ટુભાઈ વીસરીયા, વિનુભાઈ પટેલ, સોનારા જીજ્ઞેશ, ગેલાભાઈ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ લુણાગરીયા અને કાર્યક્રમના અંતે આભાર દર્શન દિપકભાઈ પનારાએ કર્યુ હતું.

(4:26 pm IST)