Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

રાજકોટ જિલ્લાકક્ષાએ અરવિંદ ઘોષના જીવન આધારીત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધા યોજાશે

રાજકોટ :ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, રાજકોટ દ્વારા ક્રાંતિકારી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત અરવિંદ ઘોષના જીવન કવન પર આધારીત વક્તૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન આગામી તા. ૨૦/૦૧/૨૦૨૩ દરમિયાન શ્રી મીરામ્બિકા શૈક્ષણીક સંકુલ, અંબાજી કડવા પ્લોટ, પી. ડી. માલવીયા કોલેજની પાછળ, ગોંડલ રોડ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં 'અ' વિભાગ અંતર્ગત ૧૫ વર્ષથી ૧૯ વર્ષની વયના અને 'બ' વિભાગ અંતર્ગત ૧૯ વર્ષથી ૩૫ વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લેવાના છે. સ્પર્ધામાં જે સ્પર્ધકોએ ફોર્મ ભરેલ છે, તેમણે સ્પર્ધા સ્થળે સવારે ૯-૦૦ કલાકે સમયસર હાજર રહેવાનું રહેશે. તેમ રાજકોટ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશ દિહોરાની યાદીમાં જણાવાયું છે.

(12:51 am IST)