Gujarati News

Gujarati News

News of Tuesday, 17th January 2023

સિતારામ સોસાયટીમાં ૧૦ વર્ષના કૃપાલનું ઉલ્‍ટીઓ થયા બાદ મોત

લાડકવાયાના અણધાર્યા મોતથી પ્રજાપતિ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૭: કોઠારીયા સોલવન્‍ટ પાસે સિતારામ સોસાયટીમાં રહેતાં પ્રજાપતિ પરિવારના ૧૦ વર્ષના પુત્રનું ઉલ્‍ટીઓ થયા બાદ તબિયત બગડતાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

સિતારામ સોસાયટી એ-૧માં રહેતાં કિર્તીભાઇ મારડીયાના પુત્ર કૃપાલ (ઉ.વ.૧૦)ને ગઇકાલે રાતે એકાએક ઉલ્‍ટીઓ થવા માંડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જૂણાચે આજીડેમ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર કૃપાલ બે ભાઇમાં નાનો હતો અને ધોરણ-૫માં ભણતો હતો. તેના પિતા કિર્તીભાઇ દરરોજ અલગ અલગ વિસ્‍તારોમાં ભરાતી બજારમાં છુટક વેપાર કરે છે. લાડકવાયાના અણધાર્યા મૃત્‍યુથી પરિવાર શોકમાં ગરક થઇ ગયો હતો.

(11:56 am IST)