Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

અમૃતોશ્વર મહાદેવ મંદિરે કાલે શાકભાજી–તુલસીના રોપા વિતરણ

રાજકોટઃ ઇન્ડિયન લાયોનેસ કલબ ઉડાન રાજકોટ દ્વારા નેશનલ ચેરમેનશ્રી અક્ષયભાઇ ઠક્કરના જન્મદિવસની ઉજવણી અનુસંધાને નરેન્દ્રભાઇ મોદીની ‘‘ગ્રીનઇન્ડિયા કલીન ઇન્ડિયા’’ની પર્યોવરણની થીમ પર ઉજવણી અંતર્ગત ટપકસિંચાઇ પધ્ધતિ માટલા દ્વારા વૃક્ષારોપણ તથા રોપા વિતરણમાં ઔષધીય શાકભાજીના તથા તુલસીના રોપા વિતરણનો કાર્યક્રમ કાલે તા.૧૮ શનિવારે સવારે ૧૦થી ૧૧ વાગ્યા સુધી સ્થળઃ અમૃતેશ્વર મહાદેવ મંદિર, અમૃતા સોસાયટી મેઇન રોડ સેન્ચુરીટી કેન્સર હોસ્પિટલની પાછળ રૈયા ટેલિફોન અોફીસની સામે રાજકોટ ખાતે કરાશે. આયોજનમાં નેશનલ સેક્રેટરી વિજયાબેન કંટારીયા, વા. પ્રેસીડેન્ટ હીનાબેન રામાણી ઇન્દુબેન ગોહિલ, નીતાબેન માવાણી અને પ્રેસીડેન્ટ જાગૃતિ ખીમાણી જહેમત ઉઠાવી રહ્ના છે. 

(3:28 pm IST)