Gujarati News

Gujarati News

News of Friday, 17th June 2022

જામનગર રોડ ઉપર ન્‍યારા ચેકપોસ્‍ટ પાસેથી ગાંજા સાથે પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ, તા. ૧૭ :  પડધરી પોલીસ સ્‍ટેશનમા નારકોટીક્‍સ ડ્રગ પદાર્થે અધીનીયમની કલમો મુજબની ફરીયાદ, નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપીની ધરપકડ થતા આરોપીએ રાજકોટની સ્‍પેશ્‍યલ અન.ડી.પી.એસ કોર્ટમા જામીન મેળવવા અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુકમા હકીકત એવી છે કે આ કામના ફરીયાદી અને તેમ ની સાથેનો પોલીસ સ્‍ટાફ એસ.ઓ.જી ને લગતી કામગીરી કામગીરી સબબ પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન ફરતા ફરતા જામનગર રોડ ઉપર આવેલ ન્‍યારા ચેકપોષ્ટ ઉપર રાત્રીના ૯.૪૦ વાગ્‍યે પહોચતા ખાનગી રાહે બાતમી મળેલ કે રાજકોટથી જામનગર તરફ એક ટાટા કંપનીનો માલવાહક ટ્રકમા ગેરકાયદેસર રીતે નાર્કોટીક્‍સ માદક પદાર્થનો જથ્‍થો રાખી વેચાણ કરવાના ઈરાદે નીકળેલ છે તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર માહીતી મળેલ હતી જેથી જરૂરી કાયદાકીય કાર્યવાહી બાદ એનડીપીએસની વોચનું આયોજન કરેલ અને બાતમી વાળી જગ્‍યાએ પહોચી ગયેલ અને એંંદાજીત ૧૧.૪૫.વાગ્‍યે બાતમી મુજબનો ટ્રક આવતા તેને રોકી લીધેલ જેમાથી કુલ બે ઈસમો પરેશભાઈ વિનોદભાઈ બારૈયા રહે પડધરી અને અબ્‍દુલભાઈ હુસેનભાઈ માકવાણી રહે પડધરી વાળા હોવાનુ જણાઈ આવેલ હતુ.

તપાસ દરમીયાન અન્‍ય એક ઈસમ નાસીરહુસેન મેહમુદભાઈ અંસારી કે જે નાસીકનો છે તેનુ નામ ખુલવા પામેલ હતુ. જેથી આ આરોપીઓની અટક કરી રાજકોટની સ્‍પેશ્‍યલ એન.ડી.પી.એસ કોર્ટમા રજુ કરતા રીમાન્‍ડ સમય પુર્ણ થયા બાદ તમામ આરોપીઓને રાજકોટ જીલ્લા જેલ ખાતે મોકલી આપવામા આવેલ હતા.

આમ આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થઈ જતા આ ત્રણેય આરોપીએ પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુકત થવા માટે રાજ્‍કોટ સ્‍પેશ્‍યલ એન.ડી.પી.એસ કોર્ટ સમક્ષ જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલ હતી. જે અન્‍વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્‍યાનમા રાખી કોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટશ્રી રણજીત એમ. પટગીર, સાહીસ્‍તાબેન એસ. ખોખર, મીતેશએચ. ચાનપરા તેમજ પ્રહલાદસીંહ બી. ઝાલા રોકાયેલ હતા

(4:28 pm IST)