Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

જસદણ સાસરૂ ધરાવતી ભારતનગરની પ્રીતિ આંકોલિયાને પતિ-સાસરિયાનો ત્રાસ

બે વખત ગર્ભપાત થઇ ગયો, ત્રીજી વાર મૃત દિકરી જન્મીઃ કોઇ ખબર પુછવા પણ ન આવ્યા

રાજકોટ તા. ૧૭: જસદણ સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટ ભારતનગરમાં માતવરે રહેતી પરિણીતાએ જસદણ રહેતાં પતિ, સાસુ, સસરા, જેઠ, જેઠાણી સામે ફરિયાદ કરી છે. તારે ખોડખાપણ વાળુ બાળક જન્મે છે તેમ કહી ત્રાસ ગુજારાયાનો  અને માવતરેથી સાસરે તેડી જતાં ન હોવાનો આરોપ મુકાયો છે.

આ બનાવમાં મહિલા પોલીસે હાલ ભાવનગર રોડ ભારતનગર મેઇન રોડ રાજબાઇ પ્રોવિઝન સ્ટોર સામે છેલ્લા સાતેક મહિનાથી માવતરે રહેતી પ્રીતિ સંજય આંકોલીયા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી જસદણ શિવનગર સોસાયટીમાં રહેતાં તેણીના પતિ સંજય, સસરા રામનાથ રણમલનાથ આંકોલીયા, સાસુ ચાંદીબેન રામનાથ તેમજ મુન્ના રામનાથ, રાયધનનાથ રામનાથ અને ગીતા મુન્નાનાથ સામે આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

પ્રીતિઆંકોલીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન ૨૦૧૮માં જ્ઞાતિના રિવાજ મુજબ સગા મોટા ફઇના દિકરા સંજય સાથે થયા છે. લગ્ન બાદ તેણી જસદણ સાસરે હતી. પોતે પતિ, સાસુ, સસરા સાથે રહેતી હતી. જેઠ જેઠાણી બાજુમાં અલગ રહેતાં હતાં. લગ્ન બાદ થોડો સમય બધુ સારુ ચાલ્યું હતું. લગ્નના એક જ મહિના પછી તેણીને પ્રેગનન્સી રહી હતી. ડોકટરના કહેવા મુજબ બાળક ખોડખાપણવાળુ હોઇ સાસરિયાને જાણ કરતાં ગર્ભપાતની સલાહ આપી હતી. જેથી બધાની મંજુરીથી બાળક પડાવી નાંખ્યું હતું.

એ પછી પતિ, સાસુ ચાંદીબેન, સસરા રામભાઇ, જેઠ મુન્નાભાઇ, રાયધનભાઇ, જેઠાણી ગીતાબેન સહિતનાએ તારુ બાળક ખોડખાપણવાળુ છે તેમ કહી મેણાટોણા મારવાનું ચાલુ કર્યુ હતું. એક વર્ષ બાદ ડોકટરે પ્રેગનન્સી રાખવાની સલાહ આપી હતી. પરંતુ પતિ સાસુને ઉતાવળ હોઇ છ મહિના બાદ જ બીજીવાર પ્રેગનન્સી રાખી દીધી હતી. પરંતુ ફરીથી તબિયત બગડી જતાં ગર્ભપાત થયો હતો. એ પછી ફરી પ્રેગનન્સી રહેતાં માવતરે આરામ કરવા ગયેલ. પણ સાતમા મહિને તબિતય બગડતાં હોસ્પિટલમાં સિજેરીયનથી ડિલીવરી થતાં મૃત બાળકી જન્મી હતી.

આ વખતે પતિ-સાસરિયા ખબર પુછવા પણ આવ્યા નહોતાં. ત્યારથી પોતે માવતરના ઘરે રહે છે. સમાધાન કરવા સમાજના આગેવાનો મારફત પ્રયાસ કરવા છતાં સાસરીયા ન માનતાં અંતે ફરિયાદ કરી હોવાનું પ્રીતિએ જણાવતાં એએસઆઇ એન. જે. બેલીમે તપાસ હાથ ધરી છે.

(2:29 pm IST)