Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

આગામી જનરલ બોર્ડમાં દરેક કોર્પોરેટરને પુસ્તકની ભેટ

રાજકોટ તા. ૧૭ : આજે જનરલ બોર્ડમાં લાયબ્રેરી અંગેના પ્રશ્નની ચર્ચા દરમિયાન વોર્ડ નં. ર ના ભા.જ.પ.ના કોર્પોરેટર જયમીન ઠાકરે હવે પછીના જનરલ બોર્ડમાં  તમામ ૭ર કોર્પોરેટરોને-૧-૧ પુસ્તક ભેટ આપવા સુચન કર્યુ હતું. જેને સૌએ તાળીના ગડાટથી વધાવી લીધુ હતું તેઓએ વિસ્તૃત માહીતી આપતા જણાવેલ કે શહેરમાં સૌ પ્રથમ હરતુ-ફરતુ પુસ્તકાલય હાલના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ શરૂ કરાવ્યું હતું.

(3:34 pm IST)