Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સર્વેશ્વર ગણપતિ મહોત્સવમાં આજે અન્નકોટ દર્શન- વેકસીનેશન કેમ્પ

દુંદાળાદેવને દરરોજ અલભ્ય ફૂલોનો શણગાર, મહેમાનોના હસ્તે મહાઆરતી, સરકારી નિયમોનું ચુસ્તપણે પાલન

રાજકોટઃ સર્વેશ્વર ગ્રુપ દ્વારા સર્વેશ્વર ગણપતિ મહોત્સવ - સર્વેશ્વરચોક, યાજ્ઞિકરોડ, રાજકોટ ખાતે આયોજીત  મોહત્સવમાંઆઠમાં દિવસે આમંત્રિત મહેમાનોની સાથે મહાઆરતી કરવામાં આવેલ. દુંદાળા દેવને અલભ્ય ફૂલોનો શણગાર રોજબરોજ કરવામાં આવે છે. કોવિડ -૧૯ ગાઈડલાઈનની સંપૂર્ણ શિસ્ત સાથે પાલન કરવામાં આવે છે. દરેક ભાવિકોને માસ્ક પહેરીનેજ પંડાલમાં પ્રવેશ આપવામાં આવે છે. આયોજકો દ્વારા માસ્કની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

આજે શુક્રવારના રોજ દુંદાળા દેવ સર્વેશ્વર ચોકના ચરણોમાં અન્નકોટના દર્શન જે સાંજે ૫-૩૦ થી દર્શન ખુલ્લા મુકવામાં આવશે. જે સર્વે ભાવિકો આ ભવ્ય દર્શનનો લાભ લે તેવી સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવના સર્વે આયોજક કમિટી અનુરોધ કરાયો છે.

મહાઆરતીમાં શ્રી હિતેશભાઈ બગડાઈ, બિલ્ડર શ્રી જેનીશભાઈ અજમેરા, બિલ્ડર રજનીભાઈ શાહ બિલ્ડર ઉપસ્થિત રહી મહાઆરતીમાં સહ્રભાગી થયા હતા.

સાથોસાથ વેકશીનેશન કેમ્પ સાંજે ૬થી ૧૦  પંડાલમાં રાખવામાં આવેલ છે. દુંદાળા ગણપતિના દર્શનનો સોશિયલ મીડિયા ફેશબુકમાં લાઈવ સાંજે ૭  થી ૧૧ નિહાળી શકાશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સર્વેશ્વર સાર્વજનિક ગણપતિ મહોત્સવના સર્વે કમિટી મેમ્બર  કેતનભાઈ સાપરિયા,  જતિનભાઈ માનસતા,  અલાઉદ્દીનભાઈ કારિયાણીયા, વિપુલભાઈ ગોહેલ,  હિમાંશુભાઈ કોટેચા,   મુકેશભાઈ બારોટ, જીતુભાઈ ભરવાડ,  નંદાભાઈ  મેવાડા,નવનીતભાઈ પટેલ,  અમિતભાઈ ચાવડા, યોગેશભાઈ સંપટ, તુષારભાઈ ભોરણીયા, રાજદીપસિંહ જાડેજા, અમિતભાઈ  રાજ્યગુરૂ, વિપુલભાઈ ઠક્કર,  દિલીપસિંહ જાડેજા, દર્શનભાઈ મહેતા, ટીકુભાઈ બારડ,રોહિતભાઈ સીધ્ધપરા,  રાકેશભાઈ શાહ, રાજેશભાઈ મજેઠીયા, હેમેન્દ્રભાઈ વાઢેર સાથે  સહિતના જહેમત  ઉઠાવી રહ્યા છે. સમગ્ર આયોજનમાં શ્રી દેવાંગભાઈ માંકડનું માર્ગદર્શન પણ મળી રહ્યાનું યાદીના અંતમાં જણાવાયું છે.

(4:52 pm IST)