Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રૂ. પ૦ લાખના ચેક રિટર્નના કેસમાં કારખાનેદારને નિર્દોષ છોડી મુકવાના હુકમ સામે થયેલ અપીલને હાઇકોર્ટે ફગાવી

પોલીસ અધિકારીની મદદથી કોરા ચેકો મેળવ્યાની દલીલની કોર્ટે સ્વીકારી

રાજકોટ તા. ૧૮: સને- ૨૦૧૭ માં ક્રાઈમ બ્રાંચ પી.એસ.આઈ. દ્વાશ અરજીના કામે ધમકાવી લખાણ તથા કોરા ચેકો મેળવી રૃા. ૫૦ લાખના ચેક રીર્ટનની કરાવેલ ફરીયાદના કામે કેસ ચાલી જતા અદાલતે પાટીદાર કારખાનેદાર મહેશ શીવાભાઈ ટીલારાને રાજકોટની અદાલતે નિર્દોષ ઠરાવી છોડી મુકવાના ચુકાદાને પડકારતી અપીલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા મનીષ બાબુલાલ મહેતા દ્વારા રાજકોટની અદાલતમાં શિવમ મશીન ટુલ્સના નામથી કારખાનુ ધરાવતા પાટીદાર અગ્રણી મહેશ શીવાભાઈ ટીલારા વિરૃધ્ધ ફરીયાદમાં એવો આક્ષેપ કરેલ કે, ફરીયાદી તથા આરોપી ઘણા વર્ષોથી મિત્રો હોય આરોપી દ્વારા પોતાના વિશાળ રીતે ફેલાયેલ ધંધામાં રકમની જરૃરીયાત હોવાનું જણાવી ફરીયાદી મનીષ મહેતાના મિત્ર મયુર ઘાંધીયા મારફતે રૃા. ૫૦,૦૦,૦૦૦/- રોકડા લીધેલા જે રકમ સમયસર પરત ન આપતા ફરીયાદી તથા તેના મળતીયા મયુર ધાંધીયા દ્વારા જે-તે સમયે પોલીસ કમીશ્નરને અરજી કરેલી,

અરજીની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાતા ક્રાઈમ બાંચના જે તે સમયના અધિકારી દ્વારા આરોપી મહેશ ટીલારાને ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં બોલાવી નિવેદન લઈ, અલગ અલગ ચેકો પોલીસની હાજરીમાં ફરીયાદી તથા તેના મળતીયાઓને અપાવેલ, જે ચેકો પૈકી રૃપિયા ૫૦ લાખનો ચેક ફરીયાદી મનીષભાઈ બાબુલાલ મહેતાએ મેળવેલ હોય તે ચેક બેંકમાં જમા કરાવતા ''સ્ટોપ પેમેન્ટ'' ના કારણે પરત ફરતા મનીષ બાબુલાલ મહેતાએ રૃા. ૫૦ લાખના ચેક રીર્ટનની ફરીયાદ રાજકોટની અદાલતમાં દાખલ કરેલ હતી.

 આરોપી તરફે બચાવમાં એડવોકેટ તુષાર ગોકાણી દ્રારા એવી પણ રજુઆત કરાયેલ કે ફરીયાદ પક્ષે સમગ્ર વ્યવહાર મયુર ધાંધીયાની હાજરીમાં થયેલ હોવાનું ફરીયાદમાં જણાવેલ છે પરંતુ મયુર ધાંધીયાને સાહેદ તરીકે તપાસવામાં આવેલ નથી તેમજ ફરીયાદી પોતે રૃા. ૫૦ લાખ જેવી રકમ ક્યાંથી લાવેલા અને આટલી મોટી રકમ આપવા સારૃ નાણાકીય રીતે સક્ષમ હતા કે કેમ? તે સંદર્ભે અસંખ્ય તક આપવામાં આવેલ છતા સોર્સ ઓફ ઈન્કમ પોતાની આવકના સ્ત્રોતનો કોઈ જ પુરાવો રજુ કરી શકેલ નથી.

આ તમામ હકીકતો અદાલત સમક્ષ ઉજાગર કરતા અદાલત દ્વારા તમામ હકીકતોની નોંધ લેવી જોઈએ તેવી રજુઆતો કરી તે સંદર્ભેનો પુરાવો ન્યાયાલય સમક્ષ મુકેલ હતો તેથી આરોપીને કેસમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકેલ હતો. જે ચુકાદામાં અદાલત દ્વારા મનીષ બાબુલાલ મહેતાએ દાખલ કરેલ ફરીયાદ કાયદાની પરીભાષા મુજબ ફરીયાદ જ ન હોય અને ક્ષતિયુકત ફરીયાદ હોય ત્યારે ફરીયાદી માત્ર ચેકનો ધારણકર્તા હોવાથી તેની તરફેણનું અનુમાન કરી સજા કરી શકાય નહી ખાસ કરીને જયારે ફરીયાદી પોતાની પાસે રૃપીયા ૫૦ લાખ જેવી માતબર રકમ કયાંથી આવી તે દર્શાવી શકતા ન હોય ત્યારે આરોપી તરફે કરવામાં આવેલ ઉલટ તપાસ અને પુરાવા ગ્રાહય રાખેલ હતા.

આ ચુકાદા સામે ફરીયાદી મનીષ બાબુલાલ મહેતાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાની પરવાનગી માંગતી અરજી તથા અપીલ રજુ કરેલ હતી જે સુનાવણી અર્થે આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટની અદાલતે આપેલ ચુકાદો માન્ય રાખી ફરીયાદીની અરજી તથા અપીલ ડીસમીસ કરતા આ લાંબી કાનુની ઙ્કક્રિયામાં પાટીદાર કારખાનેદારનો વિજય થયેલ હતો.

આ કામમાં આરોપી મહેશ ટીલારા વતી  ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, જયેન્દુ ગોંડલીયા, રીપન ગોકાણી, પરેશ પટોળીયા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, વિશાલ કૌશીક તથા ભુમિકા નંદાણી રોકાયેલ હતા.

(4:02 pm IST)