Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

નવાગામમાં આર્થિક ભીંસથી કંટાળી નાનજીભાઇ બાવળીયાનો આપઘાત

આધેડે દરવાજા ઉપર વેન્ટીલેશનની જાળી સાથે સાળીબાંધી ફાંસો ખાઇ લીધો : પરિવારમાં શોક

રાજકોટ,તા.૧૮: નવાગામના ઢોળે રહેતા આધેડે આર્થિક ભીંસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મળતી વિગત મુજબ નવાગામ ઢોળે રહેતા નાનજીભાઇ નાગજીભાઇ બાવળીયા (ઉવ.૪૮)એ રાત્રે પોતાના ઘરે નીચેના રૂમમાં દરવાજા ઉપર વેન્ટીલેશનની જાળીમાં સાળી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઉપરના માળેથી નીચે આવતા નાનજીભાઇને લટકતી હાલતમાં જોતા દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકના એ.એસ.આઇ ફતેહસિંહ તથા રાઇટર મહેન્દ્રભાઇ ગોવાણીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક નાનજીભાઇને છેલ્લા ઘણા સમયથી કામ મળતુ ન હોય તેથી આર્થિક ભીંસના લીધે તેણે આ પગલુ ભર્યું હોવાનું ખુલ્યુ છે. એક પુત્ર એક પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(3:58 pm IST)