Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા સાદગી પૂર્ણ ૭૪માં સ્વતંત્ર પર્વની ઉજવણી

રાજકોટઃ ટીમ ઇન્દ્રનીલ ફોર યુ દ્વારા ઇન્દ્રનીલભાઈ રાજગુરુના માર્ગ દર્શન હેઠળ નીલ્સ સંજયરાજ ઓફિસ, નીલ્સ એસ્ટ્રલ, સૌરાષ્ટ્ર યુની રોડના ગ્રાઉન્ડ ખાતે વાજસુરભાઈ ડાવેરાના હસ્તે ધ્વજવંદન કરવામાં  આવેલ.  કોરોના મહામારી ધ્યાને લઇ સંપૂર્ણ સાદગી સાથે  સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનેટરાઈઝ નો ઉપયોગ કરવામાં આવેલ હતી.ધ્વજવંદન સાથે તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત ગુંજી ઉઠ્યું હતું. સ્વરાજભાઈ રાજગુરુ એ આ તકે સર્વે ને ૭૪ માં સ્વતંત્ર પર્વેની શુભેચ્છા પાઠવેલ હતી.

 કાર્યક્રમમાં વાજસુરભાઈ દાવેરા, મહેન્દ્રભાઈ ગજ્જર, શકિતભાઈ, પરાસરભાઈ,  રાજુભાઈ જોષી, હેમંતભાઈ વિરડા, ધર્મેન્દ્રભાઈ સિંધવ, યશભાઈ પંડ્યા, ચાવડાભાઈ, જયભાઈ મહેતા, અભિષેકભાઈ જોષી,  સુલતાનભાઇ સોરા, કિશનભાઈ જોષી , પ્રશાંતભાઈ મહેતા,હિતેશ જોષી, હાર્દિકભાઈજોષી,  ભાનુભાઈ તેરૈયા, અસવદભાઈ બુખારી, રવિભાઈ સોસા, કમલેશભાઈવાળા, બ્રિજેશભાઈ દવે, હર્ષિતભાઈ જાની, ચંદ્રેશભાઈજોષી, ડાભીભાઈ, પરાગભાઈ, કાળુભાઈ, રઘુભાઈ તથા બહેનોમાં શિવાનીબેન પંચોલી અને દિપાલીબેન સરવૈયા સહિતના હાજર રહેલ હતા.

(2:49 pm IST)