Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાજકોટનો આજી-1 ડેમ ઓવરફલો થતા કાલે વિડયો કોનફરન્સથી વિજયભાઈ રૂપાણી દ્વારા નવાનીરનાં વધામણાં કાર્યક્રમ યોજાશે

રાજકોટ: શહેરની જીવાદોરી સમાન આજી-1 ડેમ આજે ઓવરફ્લો થતા આવતીકાલે તા. 19 ઓગસ્ટ ના રોજ સવારે 9.00 વાગ્યે નવા નીરના વધામણાંનો કાર્યક્રમ વીડિયો કોનફરન્સની મદદથી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની  ઉપસ્થિતિમાં યોજાશે. જેમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંસદ સભ્યો, ધરાસભ્યો તથા મ્યુનિ. કમિશનર દ્વારા નવા નીરના વધામણાં થનાર છે.

(10:34 pm IST)